ઈમામ ઉલ હક પર PCB એક બે વર્ષનો લગાવી શકે છે બૈન, રિઝવાનનુ ઈંટરનેશનલ કરિયર લગભગ ખતમ
pakistan cricket
પાકિસ્તાની ક્રિકેટ ટીમને ઈગ્લેંડના પ્રવાસ પર લોર્ડસ ટેસ્ટ મેચમાં મળેલી એકતરફા હાર પછી જે રીતે ઉઠાપટક તેમના સ્કવોડમાં જોવા મળી છે તેનાથી બધાની નજર હવે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના આગલા પગલા પર ટકી છે. પીસીબીએ પ્રવાસ વચ્ચે જ ટેસ્ટ સ્કવોડમાં સામેલ 7 ખેલાડીઓને પાકિસ્તાન પરત બોલાવવાનો નિર્ણય લીધો જેમા લોર્ડ્સ ટેસ્ટની વચ્ચે ઘાયલ થનારા ઈમામ ઉલ હક ઉપરાંત તેમના અનુભવી વિકેટકિપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનુ નામ પણ સામેલ છે. તેમા સૌથી વધુ આલોચનાનો સામનો ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હક કરી રહ્યા છે. જેને લઈને આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ પોતાની ઈજાનુ ખોટુ બહાનુ બનાવી રહ્યા છે. આવામાં હવે રિપોર્ટ સામે આવી રહી છે કે ઈમામ ઉલ હકને બૈનનો પણ સામનો કરવો પડી શકે છે તો બીજી બાજુ રિઝવાનનુ ઈંટરનેશનલ કરિયર લગભગ ખતમ માનવામાં આવી રહ્યુ છે.
ઈમામ ઉલ હકને કાયદાકીય સલાહ લેવી પડશે ?
લોર્ડ્સ ટેસ્ટમાં પહેલા દિવસની રમતમાં ઈમામ ઉલ હક ઘાયલ થઈ ગયા હતા. જેમા પીસીબી તરફથી બીજા દિવસના રમતની શરૂઆત થતા પહેલા માહિતી આપવામાં આવી હતી કે ઈમામ હવે પિંડલીમા વાગવાથી આ મુકાબલામાં આગળ ભાગ લેશે કે નહી એ નક્કી નથી. હવે, સ્થાનિક ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝ અનુસાર, ઇમામ પાકિસ્તાન પરત ફર્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલાની તપાસની માંગ કરી છે અને વિગતવાર રિપોર્ટ માંગે છે. જો પીસીબી આ રિપોર્ટથી સંતુષ્ટ નહીં થાય, તો ઇમામને એક થી બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. અગાઉ, સમાચાર એજન્સી પીટીઆઈએ પણ અહેવાલ આપ્યો હતો કે પીસીબીની તપાસની તૈયારી માટે ઇમામને કાનૂની સલાહ લેવી પડી શકે છે.
રિઝવાનનું પાકિસ્તાની ટીમમાં કમબેક થયુ મુશ્કેલ
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બંને ટેસ્ટમાં બેટથી સંપૂર્ણપણે નિષ્ફળ રહેલા મોહમ્મદ રિઝવાન પર જીઓ ન્યૂઝના અહેવાલમાં ખુલાસો થયો છે કે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પીસીબીએ આ પ્રવાસ માટે મોહમ્મદ રિઝવાનની પસંદગી અને તેની અનુશાસનહીનતા પર નારાજગી વ્યક્ત કરી છે, જેના કારણે તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પરિણામે, કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાની ટીમમાં પાછા ફરવાની તેની શક્યતા હવે સમાપ્ત થઈ ગઈ છે.
