બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દિપક ખંડાગલે|

મીરાંબાઇ

મીરાંબાઇનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રત્નસિંહજી હતું. અને પતિનું નામ ભોજરાજ હતું. તે મેવડના પાટવી કુંવર હતા.

મીરા કૃષ્ણ દિવાની તરીકે ઓળખાય છે. તેમને બાળપળમાં ગુજરાતી દાસી પાસેથી શ્રીકૃષ્ણ ભકતિના સંસ્કાર મળ્યા હતાં.

નાનપણમાં જ મીરાના લગ્ન થઇ ગયા હતા. લગ્નના થોડા સમય પછી તેમના પતિનું મૃત્યું થવાને કારણે સાસરાવાળા તેમને ત્રાસ આપવા લાગ્યા હતા.

એક વાર તેમના દિયરે તેમને ઝેર પિવડાવ્યું હતુ પરંતુ તે બચી ગયા હતાં. અને ત્યારબાદ તેઓ મેવાડ છોડીને દ્રારકામાં રહેવા લાગ્યા હતા.

તેમની પ્રભુ ભક્તિ જોરદાર હતી. તેમને પ્રભુભક્તિને અનુલક્ષીને કાવ્યો રચ્યા હતા. તેમની કૃષ્ણભક્તિ અપાર હતી.