ગણપતિ બાપ્પાની રાશિ અનુસાર કરો પૂજા અને મેળવો અઢળક કૃપા
નીચે આપેલી વિધિથી દરેક રાશિના જાતકોએ ગણપતિજીની પૂજા કરવી જોઈએ જેથી ગણેશજી સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપે છે.
મેષ- આ રાશિના જાતકોએ ગણપતિના 'ગં' મંત્રની એક માળા કરીને જાપ કરવો અને ગોળનો ધરાવો ભોગ. વૃષભ- આ રાશિના જાતકોએ ગણપતિજીને ઘી અને ખાંડ મેળવીને ભોગ લગાડવો તથા સાથે 'ગ્લં' મંત્રની એક માળા કરીને જાપ કરવો.
મિથુન- આ રાશિના જાતકોએ ગણપતિજીને મગના લાડુઓનો ભોગ ધરવો અને 'શ્રી ગણેશાય નમ:' મંત્રની એક માળા કરવી.
કર્ક- આ રાશિના લોકોએ ગણેશજીને સફેદ ફૂલોની માળા પહેરાવવી અને સફેદ ચંદનનું તિલક લગાડવું સાથે 'ઓમ વરદાય નમ: ' મંત્રની માળા કરવી.સિંહ- આ રાશિના જાતકોએ ગણેશજીને લાલ રંગ અને લાલ પુષ્પ ચઢાવવા તથા 'ઓમ સુંમંગલાયે નમ : ' ની એક માળા કરીને જાપ કરવો.કન્યા- આ રાશિના લોકોએ ગણેશજીને 21 દૂર્વા અર્પણ કરીને 'ઓમ વક્રતુંડાય નમ:' મંત્રની માળા કરીને જાપ કરવો જોઈએ.