Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ
Weight Loss Atta: તેમા કોઈ શંકા નથી કે સારો આહાર શરીરનું સ્વાસ્થ્ય સુધારે છે. વજન વધવાનું એક મુખ્ય કારણ ખરાબ ખાવાની આદતો છે. ઘણા લોકો બહારનો ખોરાક વધુ પડતો ખાય છે, જે તેમના શરીરમાં વધુ ચરબી, વધુ કેલરી અને વધુ વજન વધારવાના ગુણધર્મો ઉમેરે છે. આવી સ્થિતિમાં, તમે તમારા ઘરે બનાવેલા ખોરાકને સુધારીને વજન ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો. અહીં, અમે કેટલાક લોટ (વજન ઘટાડવાના લોટ) નો ઉલ્લેખ કરી રહ્યા છીએ જે વજન ઘટાડવામાં ઘઉંના લોટ કરતાં વધુ અસરકારક છે. આ લોટમાંથી બનેલી રોટલી ફાઇબરથી ભરપૂર હોય છે અને સારું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. જો તમે તેમાંથી બનેલી રોટલી ખાઓ છો તો જાણો કે કયા લોટ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
વજન ઘટાડવા માટે ખાવ આ લોટની રોટલીઓ
રાગીનો લોટ - રાગીથી બનેલી રોટલીઓ આરોગ્ય માટે લાભપ્રદ છે. રાગી કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. રાગીની રોટલી ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. શુગર કંટ્રોલ કરવા પણ રાગીની રોટલી ખાઈ શકાય છે
બાજરીનો લોટ
બાજરીનો લોટ ગ્લૂટન ફ્રી હોય છે. તેને ખાવાથી શરીરને પ્રોટીન અને ફાઈબર મળે છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને વારે ઘડીએ ભૂખ લાગતી નથી. જેનાથી એક્સેસ ફૂડ ઈંટેક ઓછી થવાની અસર દેખાય છે. દર બીજા-ત્રીજા દિવસે બાજરાની રોટલી બનાવીને ખાઈ શકાય છે.
જુવારનો લોટ
જુવારના લોટથી બનેલી રોટલીઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાજરીની જેમ જુવારનો લોટ પણ ગ્લૂટન ફ્રી હોય છે. તેનાથી શરીરને ફાઈબર અને પ્રોટીન મળે છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને વેટ કંટ્રોલ થાય છે. આવામાં શાક કે દાળ સાથે જુવારની રોટલી ખાઈ શકાય છે.
જવનો લોટ
જવના લોટથી બનેલી રોટલીઓ ફાઈબર અને બીટા ગ્લુટનથી ભરપૂર હોય છે. જવની રોટલીઓ વેટ લોસમાં મદદ કરે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. બ્લડ શુગર રેગ્યુલેટ કરવામાં પણ જવની રોટલીની અસર દેખાય છે.