ગુજરાત દર્શન - ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર બંધ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક વર્ષોથી તેના વિકાસની કામગીરી ચાલી રહી છે. 130 મીટર ઉંચા આ બંધને પવિત્ર નર્મદા નદીનું પાણી મળે છે. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ બંધનું પાણી મળે છે એટલું જ નહિ વળી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢને પણ આનો લાભો મળી રહ્યો છે. અહીં કેવડિયા કોલોનીનો વિશેષ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. આ સ્થળ રજાઓ ગાળવા માટેનું અને પીકનીક માટે ઉત્તમ છે. અહીંના જંગલો, ઝરણાઓ, ટેકરીઓ વગેરે જોવાલાયક છે.
બંધની નજીક આવેલ થોડોક જમીન વિસ્તાર સરદાર સરોવર નર્મદા નિગમની માલીકીની જમીન છે. જ્યાં પ્રવાસીયો માટે પ્રાથમિક પ્રવાસન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બગીચાઓ, રેસ્ટોરંટ અને વિશ્રામ કુટીર પણ છે. અહીંયા પ્રવાસનના વિકાસના હેતુથી ખાણી-પીણીના સ્ટોલ, હોટલ, સાહસી રમતોની સુવિધાનું આયોજન પણ કરાયેલ છે. વળી પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે.