ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 5 એપ્રિલ 2021 (10:15 IST)

ચેહરા પર કાચુ દૂધ લગાવવાથી મળશે નેચરલ ગ્લો, આ 5 આયુર્વેદિક વસ્તુઓ સ્કિન કેયર રૂટીનમાં કરો સામેલ

ત્વચાને ગ્લોઇંગ કરવાની કોશિશમાં આપણે ત્વચા પર એટલું બધું લગાવી લઈએ છીએ કે ત્વચા ગ્લોઇંગ કરવાને બદલે ડલ દેખાવવા માંડે છે ખર્ચાળ ક્રિમ અથવા બ્યુટી પ્રોડક્ટ્સ ક્યારેય પણ તમારા ચહેરાને ચમકાવવાની ગેરંટી  આપતા નથી, તેથી તમારે તમારી ત્વચાના પ્રકાર અનુસાર આયુર્વેદિક ઉપાયની જરૂર છે  અને ઘરેલું ઉપાય કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
 
કાચુ દૂધ
કાચા દૂધમાંર રહેલા ફેટ અને લેક્ટિક એસિડ તમારા ચહેરા પરથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે, જે ત્વચાના છિદ્રોને ખોલે છે, તેથી જો તમારા ચહેરા પર કોઈ સમસ્યા હોય તો તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.
 
લીમડો 
લીમડામાં બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે. આવી સ્થિતિમાં તમારે લીમડાનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. લીમડાનો ફેસપેક બનાવીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. વળી, જો તમને ચહેરા પર લીમડાના પેક લગાવવામાં સમસ્યા હોય તો તમે 5-10 મિનિટ માટે હળવા કુણા પાણીમાં લીમડાના પાન ઉમેરીને એ પાણીથી ચહેરો ધોઈ શકો છો
 
હળદર - 
તેમાં એન્ટિસેપ્ટિક, એંટી ઈફ્લેમેટરી વિરોધી ગુણધર્મો છે. દૂધને હળદરમાં મિક્સ કરીને અને તેને ફેસ પેક તરીકે લગાવવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યુવા રહે છે અને ચમકતી રહે છે. સાથે જ હળદર તમારા ચહેરાના ડાઘ પણ દૂર કરે છે.
 
નાળિયેર તેલ
નાળિયેર તેલ ફક્ત વાળ માટે જ નહીં, શિયાળામાં તમારી ત્વચા માટે પણ વરદાન સાબિત થઈ શકે છે. એન્ટિસેપ્ટિક ગુણવાળા નાળિયેર તેલ શુષ્ક ત્વચાની સમસ્યા દૂર કરવામાં મદદગાર છે. શિયાળામાં ત્વચાના ફોલ્લીઓ અને ફોલ્લીઓની સમસ્યા પણ નારિયેળ તેલથી કાબુમાં આવશે. આવી સ્થિતિમાં શિયાળામાં નાળિયેર લગાવવુ  ખૂબ ફાયદાકારક છે.
 
 
ચંદન
ચહેરાની દરેક એલર્જી માટે ચંદનનો ઉપચાર માનવામાં આવે છે આ રીતે ચંદનનો ઉપયોગ કરવાથી તમારો ચહેરો નિસ્તેજ થાય છે ઉનાળામાં તમારે ચંદનનો ઉપયોગ વધુ કરવો જોઇએ