Last Modified: નવી દિલ્લી. , સોમવાર, 27 એપ્રિલ 2009 (16:13 IST)
ગોળના નફા પર લાગશે ટેક્સ
ગોળ વેચવાથી થયેલા નફા પર ટેક્સ લાગશે. એક ટેક્સ ટ્રાઈબ્યૂનલે એક નિર્ણયમાં કહ્યુ કે શેરડીમાંથી ગોળ જેવા વેચાતી વસ્તુ બનાવવી એ કૃષિ પરિચાલન નથી.
ઈંકમટેક્ષ અપીલીય ટ્રાઈબ્યૂનલ(આઈટીએટી)ની ચેન્નઈ પીઠે કહ્યુ કે ગોળ વેચવાથી થતા ફાયદાને ખેતી આવકના હેઠળ નથી મૂકી શકાતી. ટ્રાઈબ્યુનલે કહ્યુ કે ગોળ બનાવવો અને કૃષિ કાર્યની વચ્ચે કોઈ સંબંધ નથી.
આઈટીએટીએ પોતાના આદેશમાં કહ્યુ જ્યારે શેરડીનો રસને ગોળમાં ફેરવવામાં આવે છે તો આ પ્રક્રિયાથી જુદા જ પ્રકારનુ ઉત્પાદન બને છે. આ જરૂરી નથી કે શેરડીનો રસથી ગોળ બનાવવાનુ કામ ફક્ત શેરડી ઉગાવતા ખેડૂત જ કરતા હોય.
ટ્રાઈબ્યૂનલે નિર્ધારિત આ દલીલને રદ્દ કરી દીધી જેમા તેણે કહ્યુ હતુ કે શેરડીના રસથી ગોળ બનાવવો શેરડીના માર્કેટિંગ માટે એક જરૂરી પ્રક્રિયા છે જેમા કૃષિ ઉત્પાદને બરબાદ થતુ બચાવી શકાય છે.