ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

મોઢું આવે ત્યારે

મોઢું આવવાના કારણો-

- આર્યુવેદના અનુસાર મોઢામાં ચાંદા પેટની ગરમીને કારણે પડે છે.અપચો આનું મૂળ કારણ છે.
- કેટલીકવાર કોઈ વસ્તુ ખાતી વખતે દાંતની વચ્ચે જીભ કે ગાલનો ભાગ આવી જાય છે તો પણ ચાંદા પડી જાય છે. આવા ચાંદા મોઢાની લાળથી તેની જાતે જ સારા થઈ જાય છે.
- એલિયોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે.
- જો આપણાં દાંત આડા-અવળાં હોય કે, નુકીલા કે અડધાં તૂટેલાં હોય જેને કારણે જીભને કે મોઢાંને વારંવાર ખૂંચે છે જેને કારણે મોઢામાં ચાંદા પડે છે.
-નકલી દાંત વ્યવસ્થિત ન બન્યાં હોય તો અને મોઢાંમાં ખૂંચાતા હોય તો પણ ચાંદા પડે છે.
-સોપારી ખાધા પછી કોગળા કર્યા વગર રાતે ઉંઘી જવાને કારણે પણ ચાંદા પડે છે, તંબાકુ,પાન, પડીકી, ધૂમ્રપાનની આદત વગેરેના કારણે પણ મોઢાંમાં ચાંદા પડે છે.
- કોઈપણ પ્રકારનો માનસિક તનાવ હોય તો પણ ચાંદા પડે છે.
- આ ચાંદા કદી કદી કેંસરમાં પણ ફેરવાઈ જાય છે.

ઘરેલુ ઉપાય

- એક કેળું ગાયના દૂધમાં ખાવાથી આરામ મળે છે.
-મોઢું હંમેશા આવતું હોય તો ટામેટાં ભરપૂર ખાવા જોઈએ. ટામેટાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેના કોગળા કરવાથી પણ રાહત મળે છે
-પાનમાં ચણાની દાળ જેટલો કપૂરનો કટકો નાખીને પાન ધીરે ધીરે ચાવવું. થૂંક ગળવું નહીં તેને થૂકતાં રહેવું, છેલ્લા કોગળા કરી લો તરતજ લાભ થશે.
-સૂકુ કોપરું ખૂબ ચાવી ચાવીને ખાવું અને તેનું પેસ્ટ બનાવી મોઢાંમાં થોડીવાર રાખવું પછી ઉતારી જવું આવું દિવસમાં બે-ત્રણ વાર કરવાથી બે દિવસમાં ચાંદા મટી જશે.

ચાંદાનો ઈલાજ

* સામાન્ય ચાંદા વિટામિન 'બે' કોમ્પ્લેક્સ તથા ફોલિક એસિડની ગોળીયો દિવસમાં બે-ત્રણ વાર લેવાથી મટી જાય છે.
*ચાંદા પર લગાવવાનું પીડાનાશક લૉશન પણ બજારમાં મળે છે. આના પ્રયોગથી તરત રાહત મળે છે. પૉટેશિયમ પરમેગનેટને પાણીમાં ભળવી તેના કોગળા કરવાથી પણ ચાંદા મટી જાય છે.
* આવા સમયે ગરમ કોફી,ચા તથા મસાલેદાર વસ્તુઓને ખાવી ન જોઈએ. કારણકે આનાથી તકલીફ વધી શકે છે.
* વધું કડક બ્રશના ઉપયોગથી પણ મસૂડાં છોલાઈ જાય છે જેને કારણે ચાંદા પડે છે, તેથી હંમેશા નરમ બ્રશ જ વાપરવો જોઈએ.
* જો મોઢાંના ચાંદા એક અઠવાડિયામાં સારા ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જો ચાંદા પડવાથી ભોજન કરવામાં તકલીફ પડતી હોય તો બરફના ઠંડા પાણીથી કોગળાં કરવાં જોઈએ, જેનાથી રાહત મળશે.