શુ તમે કમરના દુખાવાથી પરેશાન છો.... તો અજમાવો આ ઉપાય
વય નાની હોય કે મોટી આજકાલ કમરના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. દરેક 10માંથી 6 લોકો પરેશાન છે. તેનાથી કામ કરવામાં મુશ્કેલી થવી. ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ થવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
કમરના દુખાવાનુ કારણ
- ખોટી રીતે બેસવુ
- હાઈ હીલ પહેરવી
- નરમ ગાદી પર સૂવુ
- વધુ વજન ઉઠાવવુ
તેના અનેક કારણો હોઈ શકે છે. પણ તમારી લાઈફ સ્ટાઈલમાં બદલાવ લાવીને અને કેટલાક ઘરેલુ નુસ્ખાની મદદથી આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે.
કમરના દુ: ખાવાથી બચવાના ઘરેલુ ઉપાય
1. સરસવ કે નારિયળ તેલમાં લસણની 2-3 કળીઓ નાખીને ગરમ કરી લો અને ઠંડા થતા તેનાથી કમરની માલિશ કરો.
2. ગરમ પાણીમાં મીઠુ નાખીને ટોવેલ પલાળીને નિચોડી લો. તેનાથી કમરને વરાળ આપો આરામ મળશે.
3. કઢાઈમાં 2-3 ચમચી નાખીને તેને સેકી લો અને સૂતી કપડાની પોટલીમાં તેને નાખીને કમરને સેક કરવાથી પણ દુ:ખાવાથી આરામ મળે છે.
4. અજમાને તવા પર સેકીને અને ઠંડુ થતા સુધી ધીરે ધીરે ચાવો. તેનાથી કમરના દુખાવામાં લાભ થાય છે.
5. આખો દિવસ એક જ પોઝીશનમાં ન બેસો. થોડી થોડી વાર પછી ઉઠીને થોડા ફરી લો.
6. ખાવામાં કેલ્શિયમ આહાર જરૂર લો.
આ બધા ઉપાયો કરવાથી કમરના દુખાવામાં થોડા જ દિવસોમાં મુક્તિ મેળવી શકો છો.