ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2023 (07:06 IST)

15 દિવસોમાં High Uric Acid ને Low કરી શકે છે આ ડ્રિંક, આયુર્વેદમાં ગાઉટના દર્દનો છે કારગર ઉપાય

Fennel water for uric acid: યૂરિક એસિડ (uric acid) ની સમસ્યાથી લોકો વારંવાર પરેશાન રહે છે ખાસ કરીને શિયાળામાં કારણ કે આ દિવસોમાં ઘણી બધી પ્રોટીનયુક્ત વસ્તુઓનો વપરાશ થાય છે અને પ્રોટીનનુ જ વેસ્ટ પ્રોડક્ટ છે પ્યુરિન   પ્યુરિન તમારા હાડકાં વચ્ચે જમા થાય છે અને પથરી બનવવાનું શરૂ કરે છે. તેનાથી હાડકામાં ગંભીર દુખાવો, સોજો અને ગાઉટની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં, આહારમાં થોડો ફેરફાર કરવો તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સૌ પ્રથમ તમારા રસોડામાં જાઓ અને ત્યાંથી વરિયાળી (Fennel Seeds)લો.  હવે તેને 2 ગ્લાસ   પાણીમાં ઉકાળીને તૈયાર કરો. પછી આ પાણી પીવો  (What is the best drink for uric acid)આ યૂરિક એસિડની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ છે. 
 
કેવી રીતે વધેલા યૂરિક એસિડને ઘટાડે શકે છે વરિયાળીનુ પાણી  - Does fennel water help with uric acid
 
1. ગાઉટના દુખાવામાં અસરકારક
ગાઉટનો દુખાવો તમને સમયાંતરે પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં પ્યુરિન પથરીને શરીરમાંથી બહાર કાઢવા પર ધ્યાન આપવું જરૂરી છે. આ વસ્તુમાં વરિયાળીનું પાણી પથરીને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે કેલ્શિયમ ઓક્સાઇડ હોવાથી, વરિયાળીના એન્ટાસિડ ગુણધર્મો તેને ઓગાળીને તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે.
 
2. એન્ટાસિડ હોવા છતા પ્યુરિન પચાવવામાં નિપુણ  
વરિયાળી એક એન્ટાસિડ છે, જે પેટ અને આંતરડામાં વધારાનું એસિડ તેમજ સાંધામાંથી યુરિક એસિડને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. આ હિસાબે  જ્યારે તમે વરિયાળીનું પાણી પીવો છો, ત્યારે તે પ્યુરિન મેટાબોલિઝમમાં અલગ ભૂમિકા ભજવે છે. આ શરીરમાંથી ફ્રી રેડિકલ્સ, ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને તમામ ટોક્સિન્સને બહાર કરીને આ સમસ્યાને અટકાવી શકે છે. 
 
3. એંટીઈફ્લેમેટરી છે વરિયાળીનું પાણી  
વરિયાળીનું પાણી બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. તે તમારા સાંધામાં બળતરા ઘટાડે છે અને પછી સમસ્યાને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. યુરિક એસિડ વધવાને કારણે મોટાભાગના હાડકામાં સોજો આવી જાય છે અને આવી સ્થિતિમાં વરિયાળીનું પાણી પીવું ફાયદાકારક છે. તેથી, યુરિક એસિડમાં વરિયાળીનું પાણી પીવો અને આ સમસ્યાથી બચો.