સંબંધિત સમાચાર
- World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ
- Oil in Navel Benefits: સૂતા પહેલા નાભિ પર તેલ નાખો તેલ ? તેના ફાયદા જોઇને ચોંકી જશો
- Navratri Health Tips 2025: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે
- Gujarati Health Tips - સવારે ખાલી પેટે મધ સાથે આ એક વસ્તુ ખાવાથી આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓ કાયમ માટે થઈ શકે છે ગાયબ
- વજન ઓછું કરવા શું ખાશો આવો જાણીએ ડાયટ પ્લાન
Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય
Health Tips: જો તમે લો બ્લડ પ્રેશરથી પીડિત છો તમે કદાચ જોયું હશે કે શરીર લો બ્લડ પ્રેશર પર તરત જ પ્રતિક્રિયા આપે છે. જેના લક્ષણોમાં ચક્કર, ઝાંખુ દેખાવવુ, નબળાઇ અને પરસેવો શામેલ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ગભરાઈ જાય છે અને ન કરવાનુ કરે છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે. લો બ્લડ પ્રેશર દરમિયાન અમુક કાર્ય કરવા ટાળવા જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નહિંતર, તે હાર્ટ, મગજ અને કિડનીને અસર કરી શકે છે. લો બ્લડ પ્રેશર દરમિયાન તમારે ન કરવી જોઈએ આ 5 ભૂલ.
1. અચાનક ઉભા રહેવાનું ટાળો
જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય છે, ત્યારે વ્યક્તિના શરીરમાં રક્ત પ્રવાહનું સંતુલન ખોરવાઈ જાય છે. અચાનક ઉઠવાથી પગમાં લોહી સરળતાથી ખેંચાઈ શકે છે. આ પછી મગજ સુધી લોહીનો સપ્લાય ઘટી જાય છે, જેમા વ્યક્તિ અચાનક પડી શકે છે અને બેભાન પણ થઈ શકે છે. તેથી, જ્યારે તમારું બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે તમારા શરીરને આરામ આપો.
2. લાંબા સમય સુધી ઉભા રહેવાનું ટાળો
લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોના સ્વાસ્થ્ય માટે લાંબા સમય સુધી એક જગ્યાએ ઊભા રહેવું સારું નથી. એક જગ્યાએ લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગમાં લોહી ગંઠાઈ શકે છે. જો તમને લાંબા સમય સુધી ઊભા રહેવાની જરૂર પડે, તો રક્ત પરિભ્રમણ જાળવવા માટે તમારા પગ નિયમિતપણે હલાવતા રહો.
૩. તાત્કાલિક કસરત કરવાનું ટાળો
લો બ્લડ પ્રેશર દરમિયાન કસરત કરવાથી હૃદય પર દબાણ વધે છે. આનાથી ચક્કર આવવા, ઉલટી થવા અથવા બેભાન થવાનું પણ કારણ બની શકે છે. તેથી, લો બ્લડ પ્રેશર દરમિયાન કસરત કરવાની ફરજ પાડવી તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી.
૪. ભારે ભોજન ટાળો
જો તમારું બ્લડ પ્રેશર ઓછું હોય, તો તમારે આ સમય દરમિયાન ભારે ભોજન લેવાનું ટાળવું જોઈએ. ભારે ખોરાક ખાવાથી શરીરને પચવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આનાથી ચક્કર આવવા, સુસ્તી અને નબળાઈ આવી શકે છે. તેથી, લો બ્લડ પ્રેશર દરમિયાન હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક ખાવાનું યાદ રાખો.
૫. મીઠું જરૂરી છે
જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય, ત્યારે શરીરને શક્ય તેટલી વહેલી તકે સોડિયમની જરૂર પડે છે. જો બ્લડ પ્રેશર ઓછું હોય, તો તરત જ લીંબુ-મીઠું પાણી, એક ચપટી મીઠું અથવા ખારા બિસ્કિટ ખાવાથી તેને નિયંત્રિત કરવું સરળ છે.