સંબંધિત સમાચાર
- રોજ 1 મુઠ્ઠી સેકેલા ચણા ખાવાથી દૂર થશે આ બીમારીઓ, આ સમયે ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદો
- જેવું નામ એવું કામ, જાણો સાંધાના દુઃખાવામાં કેમ લાભકારી છે આ શાક
- કબજિયાતથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલું ઉપચાર, મીનિટોમાં દૂર થશે સમસ્યા
- ચા સાથે ક્યારે ન ખાવો આ 10 વસ્તુઓ/ Dangerous Combination With Tea
- સાંધામાં જમા યૂરિક એસિડને ઓગાળી દેશે આ ફળના છાલટાથી બનેલી ચા, જાણો બનાવવાની રીત
સેકેલા ચણા કે પલાળેલા ચણા, કયા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી છે ?
Which is better roasted or soaked chana
ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. દરરોજ ચણા ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફાઈબર અને ફોલેટ મળે છે. નિષ્ણાંતો સ્વસ્થ અને ફિટ રહેવા માટે કાળા ચણા ખાવાની સલાહ આપે છે. જો કે, કેટલાક લોકો મૂંઝવણમાં રહે છે કે શેકેલા ચણા વધુ ફાયદાકારક છે કે પલાળેલા ચણા ખાવાથી વધુ આરોગ્યપ્રદ છે. ચાલો જાણીએ કે કેવી રીતે કાળા ચણા ખાવા જોઈએ, જેથી શરીરને વધુમાં વધુ લાભ મળી શકે.
ચણા ખાવાની સાચી રીત
તમે તમારા આહારમાં ચણાને અનેક રીતે સામેલ કરી શકો છો. તમે શેકેલા ચણા, ફણગાવેલા ચણા અથવા બાફેલા ચણા ખાઈ શકો છો. ચણાને અલગ-અલગ રીતે ખાવાથી ઘણા ફાયદા થાય છે.
શેકેલા ચણા- મોટાભાગના લોકોને શેકેલા ચણા ખાવાનું પસંદ હોય છે. શેકેલા ચણા સ્વાદિષ્ટ હોય છે અને જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે ચા સાથે અથવા નાસ્તા તરીકે સરળતાથી ખાઈ શકાય છે. ડાયાબિટીસ અને થાઈરોઈડના દર્દીઓએ શેકેલા ચણા ખાવા જોઈએ. શરદી અને ઉધરસમાં પણ શેકેલા ચણા ખૂબ જ ફાયદાકારક છે. જો કે, વધુ પડતા પાતળા લોકોએ શેકેલા ચણા ખાવાનું ટાળવું જોઈએ.
પલાળેલા ચણા- સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે અંકુરિત ચણા પણ ખૂબ જ ફાયદાકારક છે. ફણગાવેલા કે પલાળેલા ચણા ખાવાથી શરીરને વધુ પોષક તત્વો મળે છે. ફણગાવેલા ચણામાં વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ચણાને પલાળીને ખાવાથી પણ ચણામાં પ્રોટીનની માત્રા વધે છે. પલાળેલા ચણા સ્નાયુઓને મજબૂત બનાવે છે. જો કે, તેમને પચાવવાનું સરળ નથી. સેકેલા ચણા પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.
