સરસવનું તેલ, કનોલા ઑઇલ, નારિયેળનું તેલ, એવેકાડો ઑઇલ, મગફળીનું તેલ, ઑલિવ ઑઇલ, પામોલીન તેલ....
લિસ્ટ લાંબું છે. ભોજન રાંધવા માટેના તેલના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ કયું તેલ સ્વાસ્થ્ય માટે સૌથી સારું છે.
ભોજન અને સ્વાસ્થ્યને લઈને ફિકરમંદ લોકોનાં મનમાં અવારનવાર આ પ્રશ્ન ઊઠે છે.
ભોજન રાંધવા માટે જે તેલનો ઉપયોગ થાય છે તે અમુક ફળ, છોડ કે બીમાંથી મેળવાય છે.
જે-તે વસ્તુને કચડીને, દબાવીને કે પ્રૉસેસ કરીને તેલ મેળવાય છે.
તેલની સૌથી મોટી ખૂબ એ જ હોય છે કે તેમાં ફૅટની માત્રા ભારે પ્રમાણમાં હોય છે.
તેમાં સૅચુરેટેડ ફૅટ, મોનોસૅચુરેટેડ ફૅટ અને પૉલીઅનસૅચુરેટેડ ફૅટી એસિડ સામેલ હોય છે.
અમુક વર્ષો પહેલાં સુધી નારિયેળનું તેલ સ્વાસ્થ્ય માટે સૌથી સારું હોવાનું મનાતું હતું. ઘણા લોકોએ તો તેને સુપરફૂડ પણ જાહેર કરી દીધું હતું.
ઘણા લોકોનો દાવો હતો કે આ તેલ ફૅટ સ્વરૂપે શરીરમાં જમા થાય એ વાતની સંભાવના અત્યંત ઓછી છે.
પરંતુ, હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચે નારિયેળ તેલને વિશુદ્ધ ઝેર ઠેરવી દીધું.
આનું કારણ એ છે કે માણસનું શરીર ખૂબ વધારે ફૅટને પચાવી નથી શકતું અને વધારાનું ફૅટ આપણા શરીરમાં જમા થવા લાગે છે.
જે દિલની બીમારી અને બ્લડપ્રેશર જેવી સ્વાસ્થ્યની સમસ્યાઓ પેદા કરે છે.
બ્રિટનમાં સરકારની ગાઇડલાઇન જણાવે છે કે પુરુષે સમગ્ર દિવસ દરમિયાન 30 ગ્રામ અને મહિલાએ 20 ગ્રામ કરતાં વધુ તેલ ન ખાવું જોઈએ.
આનું કારણ પણ સમજો. તેલમાં જે ફૅટ હોય છે, તે ફૅટી એસિડના કણો સાથે મળીને બને છે.
તે ફૅટી એસિડ કાં તો સિંગલ બૉન્ડથી જોડાયેલા હોય છે, જેને સૅચુરેટેડ ફૅટ કહે છે.
તે ડબલ બૉન્ડ વડે જોડાયેલા હોય છે, જેને અનસૅચુરેટેડ ફૅટ કહે છે. જે ફૅટી એસિડ નાની શૃંખલામાં બંધાયેલા હોય છે, તે રક્તમાં સીધા ભળી જાય છે.
અને શરીરની ઊર્જાની જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ, લાંબી ચેઇનવાળા ફૅટી એસિડ સીધા લીવરમાં જાય છે.
આનાથી આપણા રક્તમાં કૉલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
નારિયેળના તેલને લઈને થયેલ સંશોધન જણાવે છે કે તેનાથી આપણા શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL)ની માત્રા વધી જાય છે.
LDLનો સીધો સંબંધ હૃદયરોગના હુમલા સાથે જોવા મળ્યો છે.
જોકે નારિયેળના તેલમાં હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) પણ મળે છે. જે રક્તમાંથી LDLને બહાર ખેંચી લે છે.
ફૅટી એસિડ અને વિટામિન
આનું કારણ એ છે કે માણસનું શરીર ખૂબ વધારે ફૅટને પચાવી નથી શકતું અને વધારાનું ફૅટ આપણા શરીરમાં જમા થવા લાગે છે.
જે દિલની બીમારી અને બ્લડપ્રેશર જેવી સ્વાસ્થ્યની સમસ્યાઓ પેદા કરે છે.
બ્રિટનમાં સરકારની ગાઇડલાઇન જણાવે છે કે પુરુષે સમગ્ર દિવસ દરમિયાન 30 ગ્રામ અને મહિલાએ 20 ગ્રામ કરતાં વધુ તેલ ન ખાવું જોઈએ.
આનું કારણ પણ સમજો. તેલમાં જે ફૅટ હોય છે, તે ફૅટી એસિડના કણો સાથે મળીને બને છે.
તે ફૅટી એસિડ કાં તો સિંગલ બૉન્ડથી જોડાયેલા હોય છે, જેને સૅચુરેટેડ ફૅટ કહે છે.
તે ડબલ બૉન્ડ વડે જોડાયેલા હોય છે, જેને અનસૅચુરેટેડ ફૅટ કહે છે. જે ફૅટી એસિડ નાની શૃંખલામાં બંધાયેલા હોય છે, તે રક્તમાં સીધા ભળી જાય છે.
અને શરીરની ઊર્જાની જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ, લાંબી ચેઇનવાળા ફૅટી એસિડ સીધા લીવરમાં જાય છે.
આનાથી આપણા રક્તમાં કૉલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
નારિયેળના તેલને લઈને થયેલ સંશોધન જણાવે છે કે તેનાથી આપણા શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL)ની માત્રા વધી જાય છે.
વર્જિનિયાની જૉર્જ મૅસન યુનિવર્સિટીના પ્રોફેસર ટેલર વૉલેસ જણાવે છે કે, “HDLમાં લૉરિક એસિડ નામનું કેમિકલ હોય છે., જેને C12 ફૅટી એસિડ કહેવાય છે. આ લૉન્ગ ચેઇનવાળો ફૅટી એસિડ હોય છે. જે લિવરમાં જમા થઈ જાય છે. આનાથી સ્વાસ્થ્યસંબંધી પરેશાનીઓ પેદા થાય છે.”
તેથી, જાણકારો કહે છે કે જે તેલમાં સૅચુરેટેડ ફૅટની માત્રા ઓચી હોય તે ખાવું સારું રહે છે. જોકે તેનું સેવન પણ ઓછી માત્રામાં જ થવું જોઈએ.
પૉલીઅનસૅચુરેટેડ ફૅટ અને ઓમેગા – 3, 6 ફૅટવાળાં તેલ ખાવાં બહેતર હોય છે. તેનાથી રક્તમાં કૉલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
અને શરીરને જરૂરી ફૅટી એસિડ અને વિટામિન મળી જાય છે.