સંબંધિત સમાચાર
- Saudi Arabia: સાઉદી અરેબિયામાં બસ-ટેન્કર અથડામણ, ઉમરાહ યાત્રા પર ગયેલા 40 થી વધુ ભારતીયોના મોતની આશંકા
- પાકિસ્તાન થી હાલ સૌથી મોટા સમાચાર, ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાસે જોરદાર બ્લાસ્ટ
- પાકિસ્તાનના હિટલર બની જશે અસીમ મુનીર, મરતા દમ સુધી રહેશે શાસન, CDF કેવી રીતે પાકિસ્તાન સેનાને કરી નાખશે વેર-વિખેર ?
- Bride Market of Pakistan: પાકિસ્તાનનું 'દુલ્હન બજાર': સગીરોને 62,000 માં વેચવામાં આવે છે. શા માટે અને કેવા પ્રકારની છોકરીઓની માંગ છે?
- બપોરના સમયે દારૂ પીવા અને વેચવા પર હવે ભારે દંડ થશે, જે એક મોટો સરકારી નિર્ણય છે
Video - મક્કા થી મદીના જઈ રહેલી બસ ટેંકર સાથે અથડાતા 42 ભારતીય જીવતા ભુંજાયા, હેલ્પ લાઈન નંબર જાહેર, પીએમ મોદીએ દુ:ખ
Saudi Arabia Accident
Saudi Arabia Accident : સાઉદી અરેબિયામાં એક ભયાનક બસ અકસ્માતમાં 42 ભારતીય યાત્રાળુઓના મોત થયા છે. અહેવાલો દર્શાવે છે કે ભારતથી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, "મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી મને ખૂબ જ દુઃખ થયું છે. મારા સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે."
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત સાઉદી સમય મુજબ રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. બસમાં સવાર મોટાભાગના મુસાફરો તેલંગાણા રાજ્યના હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો મક્કાથી પરત ફરી રહ્યા હતા અને મદીના જઈ રહ્યા હતા.
અમારા અધિકારી સઉદી અરબના અધિકારીઓની સાથે નિરંતર સંપર્કમા છે - પીએમ
પીએમ મોદીએ પોસ્ટ કર્યું, "મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી મને ખૂબ જ દુઃખ થયું છે. મારા સંવેદના એ લોકોના પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું બધા ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રિયાધમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે."
Deeply saddened by the accident in Medinah involving Indian nationals. My thoughts are with the families who have lost their loved ones. I pray for the swift recovery of all those injured. Our Embassy in Riyadh and Consulate in Jeddah are providing all possible assistance. Our…
— Narendra Modi (@narendramodi) November 17, 2025
સાઉદી અરેબિયામાં બસ અકસ્માત, 42 ભારતીયો સવાર હતા, દિલ્હી અને જેદ્દાહમાં હેલ્પલાઇન નંબર જાહેર
જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ઓફિસમાં 24X7 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
8002440003 (Toll free)
0122614093
0126614276
0556122301 (WhatsApp)
તેલંગાના ભવનમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. અધિકારીઓના નંબર અહી આપેલા છે
વંદના - મોબાઈલ
+91 98719 99044
ચૌધરી ચક્રવર્તી - મોબાઈલ - +91 99583 22143
રક્ષિત નીલ મોબાઈલ - +91 96437 23157
બસમાં સવાર બધા લોકોનુ લિસ્ટ આવ્યુ સામે
સોમવારે સાઉદી અરેબિયાના મદીના નજીક ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં અને આગ લાગી જતાં ઓછામાં ઓછા 42 ભારતીયોના મોતની આશંકા છે. અહેવાલો અનુસાર, બસમાં 46 લોકો સવાર હતા, જેમાંથી 42 લોકોના મોતની આશંકા છે.
Inna lillahi wa Inna lillahi rajiuoon..
— Mohd Mustaqeem Mewati (@MustaqeemMewati) November 17, 2025
सऊदी के जेद्दाह में 42 उमराह यात्रियों की मौत, बस आग लग जाने से हुआ था हादसा.. pic.twitter.com/S5tBz3Xo20
સઉદીમાં દિલ દહેલાવી નાખનારી દુર્ઘટના મદીના જઈ રહેલી બસમાં લાગી આગ જુઓ વીડિયો
સોમવારે સાઉદી અરેબિયાના મદીના નજીક ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં અને આગ લાગી જતાં ઓછામાં ઓછા 42 ભારતીયોના મોતની આશંકા છે.
Accident involving Indian nationals in Medinah, Saudi Arabia pic.twitter.com/HEGPbcDST4
— ɴᴏʀᴛʜ ᴇᴀᴛ ᴡᴇᴛ ᴏᴜᴛʜ (@dailyxdigest) November 17, 2025
