1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોલંબો , સોમવાર, 18 ઑગસ્ટ 2008 (12:37 IST)

લીટ્ટે-સેના વચ્ચે સંઘર્ષ, 57નાં મોત

શ્રીલંકાનાં ઉત્તરી ભાગમાં સેના અને આતંકી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તામિલ ઈલમનાં વચ્ચે છેલ્લાં બે દિવસથી ચાલી રહેલાં સશસ્ત્ર સંઘર્ષમાં 50 જેટલાં આતંકવાદીઓ અને સાત જેટલાં સૈનિકોનાં મોત થયાં છે.

સેનાનાં પ્રવક્તા બ્રિગેડીયર ઉદય નનયક્કારે જણાવ્યું હતું કે આ સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન સૈનિકોએ મુલ્લઈતિવુ જિલ્લામાં સ્થિત આતંકવાદીઓનાં બંકર જેવા બેઝપર કબજો જમાવી દીધો છે.

બે દિવસમાં 49 તામિલ આતંકવાદીઓ માર્યા ગયા હતાં, જ્યારે 59 જેટલાં ઘાયલ થયાં છે. તો સાત જેટલાં સૈનિકો માર્યા ગયા હતાં. તો આ સંઘર્ષમાં 32 સૈનિકો ઘાયલ થયા છે. તો સૈનિકોએ ઉત્તરી જાફનાનાં વાણી વિસ્તારમાં પણ કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કિલિનોચ્ચિ શહેરને એલટીટીઈએ પોતાની રાજધાની જાહેર કરી છે.