તેની નિયમિતતા અને પ્રમાણિકતાએ તેને સાથી કર્મચારીઓની આંખોની ચુંભન બનાવી દીધી. પોતાની કામ પ્રત્યેની નિષ્ઠા ષડયંત્રનો શિકાર બની. આ નોકરી પણ હાથમાંથી ગઈ. અપમાનિત થઈ, ગુમસુમ ચહેરે ઘરે પાછો ફર્યો તો પિતાજીને ઘ્રાસકો પડ્યો, 'શું થયું ?' તેમણે નિરર્થક પ્રશ્ન કર્યો. ' શું થવાનું છે ? એ જ જે હંમેશા થાય છે. ગધેડાની જેમ કામ કરો તો પણ લાત મારીને કાઢી મુકે છે.' ગુસ્સામાં, કાંપતા તેણે જવાબ આપ્યો.
પિતાજીએ પહેલા પોતાના પર કાબુ રાખ્યો, પછી તેને સમજાવ્યું -
'બેટા સત્ય પરેશાન થઈ શકે છે, પણ સત્ય હારતું નથી.'
' પણ પિતાજી મેં તો તમને આજ સુધી પરેશાન જ જોયા છે.'