શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2022 (14:24 IST)

Holi 2022 - હોલિકા દહન પૂજા શુભ મુહુર્ત અને પૂજા વિધિ

રંગોનો તહેવાર હોળી દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ હોળી માર્ચમાં રમવામાં આવે છે. ભારતની હોળી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને હોળી પણ આવવાની છે. હોળીના એક દિવસ પહેલા રાત્રે હોલિકા દહન થાય છે. બીજા દિવસે હોળી અને ધુળેટી હોય છે. આ વર્ષે હોળી (Holi) અને હોલિકા દહન (Holi Dahan) ક્યારે છે, ચાલો જાણીએ તેની સાચી તારીખ (Date) અને શુભ મુહૂર્ત (Shubh Muhurat) વિશે.
 
હોલિકા દહન પૂજા શુભ મુહુર્ત  (Holika Dahan Puja Timings)
 
પૂર્ણિમા તિથિ 17 માર્ચ, 2022ના રોજ બપોરે 1.29 મિનિટથી શરૂ થઈને 18 માર્ચે બપોરે 12.47 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનનો શુભ મુહૂર્ત 17 માર્ચે રાત્રે 9.20 થી 10.31 મિનિટ સુધીનો રહેશે. એટલે કે હોલિકા દહન માટે લગભગ 1 કલાક 10 મિનિટનો સમય મળશે. હોલિકા દહનનો મુહૂર્ત કોઈપણ તહેવારના મુહૂર્ત કરતાં વધુ મહત્વનું માનવામાં આવે છે. જો હોલિકા દહનની પૂજા અયોગ્ય સમયે કરવામાં આવે તો વ્યક્તિને દુર્ભાગ્ય અને દુઃખનો સામનો કરવો પડે છે.
 
 
હોલિકા દહન પૂજા વિધિ 
 
ફાગણ માસની શુક્લ પૂર્ણિમાની સવારે સ્નાન કરીને હોળીકાનું વ્રત કરો. બપોર પછી હોળીકા દહનની જગ્યાને પવિત્ર જળથી ધોઈને અથવા ત્યાં પાણી છાંટીને સાફ કરો. ત્યાં યોગ્ય રીતે લાકડું, સૂકું છાણ અને સૂકા કાંટા સ્થાપિત હોવા જોઈએ. સાંજે હોળી પાસે જાઓ અને ફૂલો અને સુગંધથી પૂજા કરો. આ પછી હોળને પ્રગટાવો અને જ્યારે પૂર્ણરુપે પ્રગટે ત્યારે
 
'असरकृपा भयसंत्रस्तेः कृत्वा त्वं होलिबालिशैः अतस्त्वां पूजयिष्यामी भूते भुति प्रदा भवः’ આ મંત્ર સાથે પ્રાર્થના કરીને ત્રણ પરિક્રમા કરો અને અર્ઘ્ય ચઢાવો.
 
આ સમયે ન કરશો હોલિકા દહન?
 
હિંદુ શાસ્ત્રો અનુસાર પ્રદોષ કાળ દરમિયાન પૂર્ણિમા તિથિ પર હોલિકા દહન કરવું જોઈએ. ભદ્રા મુક્ત, પ્રદોષ વ્યાપિની પૂર્ણિમાની તારીખ હોલિકા દહન માટે યોગ્ય માનવામાં આવે છે. જો આવો કોઈ યોગ ન હોય તો ભદ્રાનો સમય પૂરો થયા પછી હોલિકા દહન કરી શકાય છે. ધ્યાન રાખો કે ભદ્રા મુખમાં હોલિકા દહન વર્જિત માનવામાં આવે છે. ભદ્રા ​​મુખમાં હોળીકાનું દહન માત્ર તેને બાળનાર માટે જ ખરાબ નથી, પરંતુ તેની સાથે જોડાયેલા લોકો માટે પણ ખરાબ છે.
 
શ્રાવણી અને ફાગણી બંને ભદ્રામાં ન કરવા જોઈએ, કારણ કે શ્રાવણી (રક્ષાબંધન) રાજા માટે દુર્ભાગ્યનું કારણ બને છે અને ફાગણી (હોળીકા-દહન) અગ્નિ વગેરે જેવી દુર્ઘટનાઓ દ્વારા આગામી એક વર્ષમાં ઉત્પાત મચાવી લોકોને પરેશાન કરે છે. આ વર્ષે વિક્રમ સંવત 2078માં, ફાગણ શુક્લ પૂર્ણિમા 17મી માર્ચ 2022ના રોજ બપોરે 01.29 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે, 18મી માર્ચ 2022ના રોજ બપોરે 12.47 વાગ્યા સુધી રહેશે. તેથી સ્પષ્ટ છે કે પ્રદોષ વ્યાપિની-નિશામુખી પૂર્ણિમા 17 માર્ચના ગુરુવારે જ છે માટે આ જ દિવસે હોળીની પૂજા કરવી જોઈએ.