શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (09:42 IST)

How to care Furniture in Rain - વરસાદમાં ફર્નિચરની દેખરેખ

wooden furniture
How to care Furniture in Rain વરસાદની ઋતુમા આરોગ્ય સાથે ભેજ અને ફર્નીચર સાથે જોડાયેલ કેટલીક અન્ય સમસ્યાઓને સાથે લઈને આવે છે. ચોમાસામાં લાકડીના ફર્નીચરનુ ધ્યાન રાખવુ કોઈ પડકાર કરતા ઓછુ નથી. એક્સપર્ટનુ કહેવુ છે કે લાકડીના ફર્નીચરના ખૂણા, તેના નીચલા અને પાછળના ભાગમાં મહિનામાં ઓછામાં ઓછા એકવાર જરૂર સફાઈ કરવી જોઈએ.
 
1. ઘરના ફર્નિચર, ખાસ કરીને લાકડી અને આર્યનના ફર્નિચરને માટે સૌથી નુકશાનદાયક ઋતુ ચોમાસુ જ છે. તેથી ચોમાસામાં તેના પર વધુ ધ્યાન આપવુ જરૂરી છે.
 
2. ભેજને કારણે લાકડીના કબાટ, દરવાજા અને લાકડીના અન્ય સામાનોમાંથી દુર્ગંધ આવવા લાગે છે. દુર્ગંધને દૂર કરવા માટે એક ડબ્બામાં ચૂનો ભરીને મુકી દે. ચૂનો ભેજ શોષી લે છે અને દુર્ગધ પણ ગાયબ થઈ જશે.
 
3. પાણીથી ખુરશીઓનો રંગ ખરાબ થઈ જય તો તેના પર અલસીનુ તેલ ઘસો. તેમા ચમક આવી જશે.
 
4. લાકડીના દરવાજા પર પોલીયૂથીન પૉલિશ કે ઈનેમલ પેંટ કરાવો. તેનાથી વરસાદમાં લાકડી ફૂલે નહી.