રસોડું નાનુ હોય કે મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે. રસોડું ગૃહિણીનો સાથી છે, કારણ કે અહી રસોઈ બનાવીને જ તે ઘરના અને બહારના લોકોનું દિલ જીતે છે, દરેકમાં પ્રશંસાને પાત્ર બને છે. તેથી રસોડાને ચમકતું રાખવુ જરૂરી છે. ભોજન બનાવતી વખતે થોડું ઘણું ખાદ્યધાન રસોડામાં નીચે કે પ્લેટફોર્મ પર પડતુ હોય છે જેનાથી લાદી ચીકણી થઇ જાય છે. અને તેના પર ચાલવાથી પગ ચોંટે છે. કીડીઓ પણ થઈ જાય છે.