1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
  4. What are Independence Day flag hoisting rules & timings

ભારતીય ધ્વજ સંહિતા : રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં નિયમો

falg hoisting
રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વા સંહિતા 2002માં એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  ભારતીય ધ્વજ સંહિતા - 2002 ના રોજ 26 જાન્યુઆરી 2002થી લાગૂ કરવામાં આવી છે. 
 
ધ્વજ ફરકાવવાની યોગ્ય રીત :  - rule of flag hoisting in india
 
- જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે 
 
- સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે. 
 
- ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે. 
 
- જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે. 
 
- ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો 
 
- ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે. 
 
- કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ. 
 
- ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ. 
 
- જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.
આગળનો લેખ
સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાટીદારની 300 દીકરીને જેહાદના નામે ઉઠાવી ગયાઃ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ