W.D |
એક દિવસ રાજસભામાં નીલાંજના નામની નર્તકીનું નૃત્ય કરતાં કરતાં જ મૃત્યું થઈ ગયું તો આ ઘટનાથી ઋષભદેવનું સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થઈ ગયું અને તેઓ રાજ્ય અને સમાજની નીતિ અને નિયમની શિક્ષા આપ્યા બાદ રાજ્યનો પરિત્યાર કરીને તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયાં. તેમના જયેષ્ઠ પુત્ર ભરત રાજા થયા અને તેમણે પોતાના દિગ્વિજય અભિયાન દ્વારા સર્વ પ્રથમ ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું. ભરતના નાના ભાઈ બાહુબલી પણ વૈરાગ્ય લઈને તપસ્યામાં પ્રવૃત્ત થઈ ગયાં. ભરત રાજાના નામ પરથી જ આખો જમ્બુદ્વીપ ભારતવર્ષ કહેવાવા લાગ્યો.
આ પણ વાંચો : |