શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: શનિવાર, 24 ઑગસ્ટ 2024 (01:19 IST)

Janmashtami પર કરો આ 10 સરળ ઉપાય, મળશે દરેક કષ્ટથી મુક્તિ

janmashtami rangoli easy
Janmashtami 2024 : પ્રતિવર્ષ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે.  આ વર્ષે 2024માં 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. આ વખતે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત અનેક દુર્લભ યોગ સંયોગમાં આ તહેવાર ઉજવવા જઈ રહ્યો છે. આવામાં અહી બતાવેલા 10 ઉપાય કરીને તમે બધા પ્રકારના સંકટથી મુક્તિ મેળવી શકો છો. 
 
1. માખણ મિશ્રી : જન્માષ્ટમીના દિવસે કાનુડાને માખણ મિશ્રીનો પ્રસાદચઢાવો અને 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમારી આંગળી વડે ચટાડો.   
 
2.  હિંચકો -  આ દિવસે સુંદર રીતે શણગારેલો  હિંચકો લાવો અને તેમાં કાન્હાજીને બિરાજમાન કરો. 
 
3. ચાંદીની વાંસળીઃ આ દિવસે ચાંદીની વાંસળી લાવીને કૃષ્ણને અર્પણ કરો.  પૂજા પૂર્ણ થયા પછી, તેને તમારા પર્સમાં સાચવી રાખો. 
 
4. રાખડી : રક્ષાબંધનની જેમ આ દિવસે ભગવાન કૃષ્ણ અને બલરામજીને રાખડી બાંધો.
 
5. તુલસી - ભગવાન શ્રી કૃષ્ણની પૂજન અને ભોગ પ્રસાદીમાં તુલસીનો પ્રયોગ જરૂર કરો. 
 
6. ફૂલ - હરસિંગાર, પારિજાત કે શૈફાલીના ફૂલ શ્રીકૃષ્ણને ખૂબ જ પસંદ છે. તેથી શ્રી કૃષ્ણ પૂજનમાં તેનો પ્રયોગ જરૂર કરો. 
 
7. ફળ અને અનાજ - કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ધાર્મિક સ્થળ પર જઈને ફળ અને અનાજનુ દાન કરો. 
 
 
8. ગાય-વાછરડુ - આ દિવસે ગાય વાછરડાની નાની મૂર્તિ લાવવાથી પણ ધન અને સંતાન સંબંધી ચિંતાઓ દૂર થાય છે. 
 
9. મોરનુ પીંછુ - મોરનુ પીંછુ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેથી જન્માષ્ટમી પૂજનમાં તેને જરૂર ચઢાવો. પણ ધ્યાન રાખો કે એ મોરનુ પીછુ એ જ મોરનુ પીંછુ અર્પિત કરો જે મોરે સ્વંય જ ત્યાગી દીધુ હોય. 
 
10. શંખ - જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના નંદલાલ સ્વરૂપના શંખમાં દૂધ નાખીને અભિષેક કરો. તેનાથી તે પ્રસન્ન થશે.