ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (11:29 IST)

બાળવાર્તા - એક રૂપિયો

એક મહાત્મા ભ્રમણ કરતા કોઈ નગરમાં થઈને જઈ રહ્યા હતા. માર્ગમાં તેણે એક રૂપિયો મળ્યો. મહાત્મા વૈરાગી અને સંતોષથી ભરેલા માણસ હતા . ભલા એ એક રૂપિયાનું શું કરતા આથી તેણે આ રૂપિયો કોઈ દરિદ્રને આપવાના વિચાર કર્યું ઘણા દિવસની શોધ પછી પણ તેમણે કોઈ ગરીબ માણસ મળ્યો નહી. 
one rupee coin
એક દિવસતે તેમના દૈનિક ક્રિતાકર્મ માટે સવારે-સવારે ઉઠીને જુએ છે કે એક રાજા તેમની સેનાને લઈને બીજા રાજ્ય પર આક્ર્મણ માટે તેમના આશ્રમ સામેથી સેના સાથે જઈ રહ્યા છે. ઋષિ બહાર આવ્યા તો તેણે જોઈને રાજાએ તેમની સેનાને રોકવાના આદેશ આપ્યું અને પોતે આશીર્વાદ માટે ઋષિ પાસે આવીને બોલ્યા મહાત્મન હું બીજા રાજયને જીતવા માટે જઈ રહ્યું છું જેથી મારું રાજ્ય વિસ્તાર થઈ શકે. આથી મને વિજયી થવાનો આશીર્વાદ આપો. 
 
તેના પર ઋષિ ખૂબ વિચાર્યા પછી તે એક રૂપિયા રાજાની હથેળી પર મૂકી દીધું. આ જોઈને રાજા હેરાન અને નારાજ બન્ને થયા પણ તેને આ વાતનું કારણ બહુ વિચાર્યા પછી પણ ન આવ્યું. તો રાજાએ મહાત્માએ તેનો કારણ પૂછ્યું  તો મહાત્માએ રાજાને સરળ ભાવથી જવાબ આપ્યું કે રાજન ઘણા દિવસ પહેલા મને આ એક રૂપિયા આશ્રમ આવતા સમયે રસ્તમાં મળ્યું હતું. તો મને લાગ્યું કે કોઈ ગરીબને આપી  દેવો જોઈએ. કારણકે કોઈ વેરાગીના પાસે આનો  કોઈ મોલ નહી . બહુ શોધ્યા પછી પણ મને કોઈ દરિદ્ર માણસ નહી મળ્યું પણ , આજે તમને જોઈને આ ખ્યાલ આવ્યું કે તમારાથી દરિદ્ર તો કોઈ નહી , આ રાજ્યમાં ઘણુ  હોવા છતાંત કોઈ બીજા મોટા રાજ્યની લાલચ રાખે છે. આજ કારણ છે કે હું તમને આ એક રૂપિયા આપ્યું છે. 
 
રાજાને ભૂલ લાગી અને તેણે યુદ્ધ કરવાના વિચાર પણ મૂકી દીધા.