1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: ગુરુવાર, 21 માર્ચ 2024 (10:33 IST)

Loksabha Election 2024 : સંજય રાઉતે પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- 'દેશની જનતા આપશે જવાબ'

Shiv Sena UBT on PM Modi
Shiv Sena UBT on PM Modi
Shiv Sena UBT on PM Modi: શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે   બુધવારે ભાજપના પીએમ નરેન્દ્ર મોદીની તુલના મુઘલ બાદશાહ ઔરંગઝેબ સાથે કરી, જેના પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે દેશના લોકો પીએમ મોદી પરના આવા હુમલાઓનો જડબાતોડ જવાબ આપશે. મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં બુલઢાણામાં એક રેલીમાં, રાઉતે કહ્યું કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો જ્યારે ઔરંગઝેબનો જન્મ વર્તમાન ગુજરાતમાં થયો હતો.  
 
રાઉતે કહ્યું, “ગુજરાતમાં દાહોદ નામનું એક સ્થળ છે જ્યાં મોદીનો જન્મ થયો હતો. ઔરંગઝેબનો જન્મ પણ ત્યાં જ થયો હતો. તેથી જ આ ઔરંગઝેબી પ્રવ્રત્તિ ગુજરાત અને દિલ્હીથી મહારાષ્ટ્ર તરફ અને શિવસેના અને અમારા આત્મસન્માન વિરુદ્ધ વધી રહ્યું છે. એમ ન કહો કે મોદી આવ્યા છે, કહો કે ઔરંગઝેબ આવ્યો છે. અમે તેને દફનાવીશું." રાઉત પર પલટવાર કરતા, બીજેપીના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ નવી દિલ્હીમાં કહ્યું કે શિવસેના એમની સાથે થઈ ઈ છે જેમને ઔરંગઝેબની પ્રશંસા કરી હતી. 
 
તેમણે કહ્યું, ‘‘દેશની જનતા આવા તમામ હુમલાઓનો જોરદાર જવાબ આપશે.’