ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 31 મે 2022 (08:53 IST)

World No Tobacco Day 2022- જાણો શા માટે ઉજવાય છે વિશ્વ તમાકૂ નિષેધ દિવસ કેવી રીતે થઈ શરૂઆત

World No Tobacco Day 2021: તમાકૂનો મજો ક્યારે પણ જીવન ભરની સજા બની શકે છે. આ જાણતા પણ દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો તંકાબૂકો સેવન કોઈ ન કોઈ રૂપમાં કરી રહ્યા છે. અને જીવલેણ રોગોને આમંત્રિત કરી રહ્યા છે. તેથી લોકોને તમાકૂનો સેવન કરવાથી રોકવા અને તમાકૂના કારણે સ્વાસ્થયને થતા નુકશાન વિશે જાગરૂક કરવાના ઉદ્દેશ્યથી વિશ્વભરમાં દર વર્ષે 31 મેને વિશ્વ તમાકૂ  દિવસ એટલે કે વર્લ્ડ નો ટોબેકો દિવસ એટલે કે  (World No Tobacco Day) રીતે ઉજવાય છે. દરેક વર્ષ માટે એક ખાસ થીમ આયોજીત કરાય છે. આ વર્ષ એટલે 2021માં તેની થીમ "છોડવા માટે પ્રતિબદ્ધ"  (Commit to Quit) રાખી છે. 
 
આ રીતે થઈ હતી આ દિવસની શરૂઆત 
તમાકૂના સેવનથી થતા મોતોમાં વૃદ્ધિને જોતા નો ટોબેકો ડે ઉજવવાની શરૂઆત વિશ્વ સ્વાસ્થય સંગઠન એટલે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈજેશન (WHO) ના દ્વારા વર્ષ 1987માં કરાઈ હતી પણ વર્લ્ડ હ્લ્થ 
 
ઑર્ગેનાઈજેશન  વર્ષગાંઠ નિમિત્તે, આ દિવસ પ્રથમ વખત 7 એપ્રિલ 1988 ના રોજ ઉજવવામાં આવ્યો હતો પરંતુ WHO42.19 ઠરાવ પસાર થયા પછી 31 મે 1988 ના રોજ પસાર થયો હતો.
 
આ દિવસ દર વર્ષે 31 મે ના રોજ ઉજવવા લાગ્યા હતો.
આ દિવસ ઉજવતાનો ઉદ્દેશ્ય લોકોને આ સમજાવુ છે કે તંબાકૂ ખાવુ અને ધુમ્રપાન કરવુ સ્વાસ્થય માટે હકીકતમાં ખૂબ હાનિકારક છે. તેના સેવનથી તેમના સ્વાસ્થયને ગંભીર ખતરિ છે અને ઘણા પ્રકારના જીવલેણ 
રોગો શરીરમાં પ્રવેશે છે. તેના સેવનથી હમેશા બચવો જોઈએ. જે લોકો તંબાકૂનો સેવન કાચી તંબાકૂ, બીડી-સિગારેટ, પાન મસાલા અથવા હુક્કા કોઈ પણ રીતે કરો છો તો તેના નુકસાન વિશે સમજાવતા તેઓને  
તમાકુ છોડવા માટે પ્રેરિત કરાય છે. તે યુવકોને આ વિશે પણ સમજાવવામાં આવે છે જે તેની શરૂઆત કરી શકે છે.
 
થીમ પર આધારિત થતા કાર્યક્રમ 
વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા દર વર્ષે વર્લ્ડ નો ટોબેકો દિવસ માટે એક થીક નક્કી કરાય છે. આ વર્ષ એટલે કે 2021 માટે આ દિવસની થીમ  "છોડવા માટે પ્રતિબદ્ધ"  (Commit to Quit) રાખી છે. દર 
વર્ષે નો ટોબેકો ડે પર જે કાર્યક્રમ આયોજીત કરાય છે તે આ ખાસ થીમ પર આધારિત હોય છે. કોરોનાના કારણે આ વર્ષ વધારેપણુ કાર્યક્રમ ઑનલાઈન/ડિજિટલ માધ્યમથી આયોજીત થશે. તેના ક્રમમાં સ્વાસ્થય 
વિભાગના દ્બારા તમાકુ છોડવા માટે પ્રતિબદ્ધ વિષય પર પોસ્ટર અને સ્લોગન પ્રયિયોગિતાનો આયોજન ગઈ 20 મેથી કરાયુ છે જે 10 જૂન 2021 સુધી ઑનલાઈન/ડિજિટલ માધ્યમથી આયોજીત થશે. 
 
તમાકૂ થી આ રોગો હોય છે 
તમાકૂના સેવન કે તેના કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી એક નહી પણ ઘણા પ્રકારના જીવલેણ રોગોનો ખતરો બન્યુ રહે છે. તેમાં ફેફસાંનો કેંસર, લીવર કેંસર, મોઢાનુ કેંસર ઈરેક્ટાઈલ ડિસ્કંકશન, હદય રોગ , 
કોલન કેંસર, ગર્ભાશયનો કેંસર જેવા ઘણા રોગો પણ શામેલ છે. 
 
આ પણ જાણો
વિશ્વમાં આશરે 80 ટકા પુરૂષ તમાકુનો સેવન કરે છે પણ મહિલાઓની સંખ્ય્યા પણ ખૂબ વધી રહી છે. 
દુનિયાભરમાં ધુમ્રપાન કરનારા 10 ટકા લોકો ભારતમાં છે. 
*વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈજેશનના મુજબ દુનિયામાં આશરે 125 દેશ તમાકુનો ઉત્પાદન કરે છે. 
*તમાકુ નિર્યાતના કેસ ભારત છઠમા નંબર પર છે બાકી પાંચ દેશોમાં  બ્રાઝિલ, ચીન, અમેરિકા, મલાવી અને ઇટાલીનો સમાવેશ થાય છે.
*બાકીના દેશોની તુલનામાં ભારતમાં તમાકુથી સંબંધિત રોગોથી મરનાર લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે.
*ધૂમ્રપાન ન કરવા છતાં, તેના ધૂમ્રપાનનો સામનો કરવો હૃદય અને મગજની રોગોનું જોખમ વધારે છે.
*ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડમાં હાજર નિકોટિન જેવા પદાર્થો રોગોનું કારણ છે.