શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By
Last Updated : બુધવાર, 23 ડિસેમ્બર 2020 (12:30 IST)

ક્રિસમસની શુભ વસ્તુઓ...

ક્રિસમસના પરિપ્રેક્ષ્યમાં સદાબહાર ફરનું પ્રતીક ઈસાઈ સંત બોનિફેસ દ્વારા ઈઝાદ કરવામાં આવ્યું હતું. જર્મનીમાં યાત્રાઓ કરતાં તેઓ એક અન્ય ઝાડનીનીચે વિશ્રામ કરી રહ્યાં હતાં જ્યાં ગૈર ખ્રિસ્તી ઈશ્વરની સંતુષ્ટિ માટે બલી આપવામાં આવતી હતી. સંત બેનિફેસે આ વૃક્ષને કાપીને તેની જગ્યાએ ફરનું વૃક્ષ લગાવી દિધું. ત્યાર બાદ ધાર્મિક સંદેશ માટે સંત બોનિફેસ ફરના પ્રતીકનો પ્રયોગ કરતાં હતાં. 
 
આ વિશે એક જર્મન દંતકથા એવી પણ છે કે જ્યારે ઈસુનો જન્મ થયો ત્યારે ત્યાંના પશુઓએ તેમને પ્રણામ કર્યા અને જોત જોતામાં બધા જ જંગલના ઝાડ લીલા પાનથી છવાઈ ગયાં. એટલે જ તો ક્રિસમસ ટ્રીને ખ્રિસ્તી ધર્મનું પરંપરાગત પ્રતીક માનવામાં આવે છે. 
 
હોલી 
 
અમુક સદાબહાર વસ્તુઓ પણ છે જેમને પવિત્ર માનવામાં આવે છે. આ બધાનો એક અલગ જ અર્થ છે. હોલી માલા પરંપરાગત રૂપથી હોલીમાલા ઘરો તેમજ ગિરિજાઘરોમાં લટકતી જોવા મળે છે. આને સૌભાગ્યનું પ્રતિક મનાવામાં આવે છે. 
 
મિસલટો 
 
સામન્ય રીતે આ બોરના આકારની સફેદ રચના હોય છે જે સફરજનના ઝાડની ડાળીઓ પર મળી આવે છે. આનો સૌથી વધારે લોકપ્રિય અર્થ છે કે તેની નીચે ઉભો રહેનાર વ્યક્તિ કોઈ પણનું ચુંબન લઈ શકે છે. 
 
પરંપરાગત રીતે એવી માન્યતા છે કે મિસલટોની નીચે મળનાર બે મિત્રો પર ભાગ્ય હંમેશા ખુશ રહે છે. અને જો બે દુશ્મન આની નીચે મળી જાય તો તે દોસ્ત બની જાય છે. 
 
આઈવ 
 
આ મિત્રતાનું પ્રતીક છે એક એવો પ્રેમ જે સ્થાયી અને અતુટ હોય છે.