1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 23 એપ્રિલ 2023 (08:47 IST)

Breaking News - ભિંડરાવાલાના ગામમાંથી અમૃતપાલ સિંહ ઝડપાયો

Amritpal singh
અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. પંજાબના ADG કાયદો અને વ્યવસ્થા અર્પિત શુક્લાએ જણાવ્યું કે 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ હવે પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. અહેવાલો અનુસાર, અમૃતપાલ સિંહ મોગામાંથી ઝડપાયો છે. અજનલાની ઘટના બાદથી અમૃતપાલ ફરાર હતો અને હવે અમૃતપાલ સિંહ પોલીસની પકડમાં આવી ગયો હોવાના અહેવાલ છે. પંજાબ પોલીસે પુષ્ટિ કરી છે કે 'વારિસ પંજાબ દે'ના ચીફ અને ખાલિસ્તાની તરફી અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે પંજાબના મોગા જિલ્લામાંથી ધરપકડ કરી છે.

 
આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જશે
ઉલ્લેખનીય છે કે, 'વારિસ પંજાબ દે'નો ચીફ અમૃતપાલ 36 દિવસ બાદ પોલીસની પકડમાં આવ્યો છે. 18 માર્ચથી અજનાલાથી ફરાર અમૃતપાલ આજે મોગામાંથી મળી આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ધરપકડ બાદ અમૃતપાલને હવે રોડ માર્ગે અમૃતસર લઈ જવામાં આવી રહ્યો છે અને ત્યાંથી તે સીધી ફ્લાઈટમાં આસામની ડિબ્રુગઢ જેલ જશે.
 
અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો
કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંઘ તેના ધરપકડ કરાયેલા સહયોગીઓમાંથી એકની મુક્તિ માટે તેમના સમર્થકોએ અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા પછી પંજાબ પોલીસે તેમના પર કડક કાર્યવાહી કર્યાના એક મહિના પછી પણ ફરાર છે. તેમની પત્ની કિરણદીપ કૌરને ગુરુવારે અમૃતસર એરપોર્ટ પર અધિકારીઓએ રોકી હતી જ્યારે તે લંડનની ફ્લાઈટમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. અમૃતપાલે આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટનમાં રહેતી કૌર સાથે લગ્ન કર્યા હતા.
 
અમૃતપાલ બે વખત પોલીસના હાથમાંથી છટકી ગયો હતો
અમૃતપાલ અને તેની સંસ્થા 'વારિસ પંજાબ દે'ના સભ્યો સામે 18 માર્ચથી કાર્યવાહી શરૂ થઈ હતી. જો કે, તે બે વાર પોલીસની પકડમાંથી છટકી ગયો હતો - પ્રથમ 18 માર્ચે જલંધર જિલ્લામાં વાહનો બદલીને અને ફરીથી 28 માર્ચે હોશિયારપુરમાં જ્યારે તે તેના મુખ્ય સહાયક પાપલપ્રીત સિંહ સાથે પંજાબ પાછો ફર્યો હતો.

અમૃતપાલનો ઓડિયો-વીડિયો સામે આવ્યો
ફરાર થઈ જતા અમૃતપાલના બે વીડિયો અને ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. 30 માર્ચે સામે આવેલા તેના બે વીડિયોમાંથી એકમાં અમૃતપાલે ભારપૂર્વક કહ્યું હતું કે તે કોઈ ફરાર નથી અને ટૂંક સમયમાં જ દેખાશે.  ખાલિસ્તાન સમર્થક ઉપદેશકે દાવો કર્યો હતો કે તે એવા લોકો નથી જે દેશ છોડીને ભાગી જાય. એવી અફવા હતી કે અમૃતપાલ બૈસાખીના દિવસે ભટિંડાના તલવંડી સાબોમાં તખ્ત દમદમા સાહિબ ખાતે આત્મસમર્પણ કરી શકે છે, પરંતુ એવું બન્યું નહીં. અમૃતપાલ સિંહની મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે.