ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 31 જુલાઈ 2021 (17:44 IST)

બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ રાજનીતિમાંથી સંન્યાસનુ કર્યુ એલાન, બોલ્યા - હુ તો જઈ રહ્યો છુ

બાબુલ સુપ્રીયો (Babul Supriyo) એ રાજનીતિમાંથી સંન્યાસનુ એલાન કરી છે.  સુપ્રિયોએ સોશિયલ મીડિયા (Social Media) ના દ્વારા સંન્યાસનુ એલાન કર્યુ છે.  જો કે તેમણે એ પણ સ્પષ્ત કર્યુ કે બીજેપી જ તેમની પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે આસનસઓથી બીજેપીના સાંસદ છે.  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંત્રીમંડળમાં થયેલા ફેરફારમાં તેમને હટાવી દીધા હતા. 
 
તેમણે સોશિયલ મીડિયામાં લખ્યુ સૌની વાત સાંભળી, બાપ, મા, પત્ની, પુત્રી, બે વ્હલા મિત્રોમાં કોઈ અન્ય પાર્ટીમાં નથી જઈ રહ્યા. તેમણે લખ્યુ કે મને કોઈપણ પાર્ટી તરફથી ફોન નથી આવ્યો. હુ એક ટીમનો ખેલાડી છુ અને હંમેશા એક ટીમનુ સમર્થન કર્યુ છે. તેમણે પોતાના રાજીનામાનુ એલાશ સોશિયલ મીડિયામાં એક કવિતાના રૂપમાં કર્યુ. તેમણે લખ્યુ કે જો સામાજીક કાર્ય કરવુ છે તો તે રાજનીતિ વગર પણ થઈ શકે છે. 
 
 
બાબુલ સુપ્રિયોએ પોતાનુ રાજીનામામા ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યુ કે બંનેયે મને અનેક રીતે પ્રેરિત કર્યો છે. હુ તેમના પ્રેમને ક્યારેય નહી ભૂલુ. તેમણે કહ્યુ ક એહુ પ્રાથના કરુ છુ કે તેઓ મારા વિશે કોઈ ગેરસમજ ન કરે અને મને માફ કરી દે.