1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (13:36 IST)

Corona New Guideline- કેંદ્રએ કોરોના યાત્રાના નિયમ બદલ્યા- 1 4 ફેબ્રુઆરીથી ભારત આવતા પર RTPCR ટેસ્ટની જરૂર નથી

કોરોના વાયરસના મહામારી કટોકટીમાં સુધારને જોતા કેંદ્રીય સ્વાસ્થય મંત્રાલયએ આંતરરાષ્ટ્રીય આગમન માટે નવી ગાઈડલાઈન રજૂ કરી. તેના મુજબ 14 ફેબ્રુઆરીથી એટ રિસ્ક અને બીજા દેશની કેટેગરી હટાવસે. સાથે જ 14 ફેબ્રુઆરીથી ભારત આવતી યાત્રીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નહી પડશે. તેના બદલે પૂર્ણ રસીકરણની રિપોર્ટ અપલોડ કરવી પડશે. 
 
ગાઈડલાઈન અનુસાર, જે મુસાફરો ભારતની મુસાફરી કરી રહ્યા છે, તેઓએ મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલની મુલાકાત લેવી જોઈએ.(https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration) સ્વ-ઘોષણા ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી આપવાની રહેશે,
 
જેમાં છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ સામેલ કરવામાં આવશે. મુસાફરોએ નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે અથવા મુસાફરીની શરૂઆતના 72 કલાકની અંદર સંપૂર્ણ રસી લગાવવી પડશે.
 
પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.