સંબંધિત સમાચાર
- IPL 2023: કલકત્તાએ એમએસ ધોનીને આપ્યુ શાનદાર ફેયરવેલ, મેચ પછી માહીની આ વાત કરી દેશે ઈમોશનલ
- Bihar political crisis - લાલુ યાદવે 5 વખત ફોન કર્યો, CM નીતિશે એક પણ વાર ન ઉપાડ્યો, ભાજપ સાથે મિલાવશે હાથ ?
- Maratha Reservation - મહારાષ્ટ્ર સરકારનો મરાઠા અનામતને લઈને મોટો નિર્ણય, સીએમ શિંદેએ જરાંગે પાટીલની મુખ્ય માંગ સ્વીકારી
- Republic Day 2024 LIVE Updates: દેશ ઉજવી રહ્યો છે 75મો ગણતંત્ર દિવસ, કર્તવ્યના માર્ગે જોવા મળશે નારી શક્તિની ઝલક ?
- Padma Awards 2024: પદ્મ પુરસ્કાર 2024ના નામોની થઈ જાહેરાત, 56 લોકો આ વખતે થશે સન્માનિત, જાણો આખું લીસ્ટ
મુંબઈથી લખનૌ જનારી ફ્લાઈટમાં હંગામો, મુસાફર બોલ્યો - મારી સીટ નીચે છે બોમ્બ, પછી...
મુંબઈથી લખનૌ જનારી ફ્લાઈટમાં એ સમયે હંગામો થઈ ગયો જ્યારે 27 વર્ષના એક મુસાફરે કહ્યુ કે તેની સીટ નીચે બોમ્બ મુક્યો છે. મુસાફરના આટલુ કહેતા જ એજંસીઓ એલર્ટ મોડ પર આવી ગઈ અને ફ્લાઈટમાં હડકંપ મચી ગયો.
શુ છે આખો મામલો ?
ઉલ્લેખનીય છે કે મુંબઈથી લખનૌ જનારી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષના મોહમ્મદ ઐયૂબે કહ્યુ કે તેની સીટ નીચે બોમ્બ મુક્યો છે. ત્યારબાદ બધી એજંસીઓ તપાસમાં લાગી ગઈ. ઘટનાની માહિતી મળતા જ ફ્લાઈટનો ટાઈમ બદલી દેવામાં આવ્યો અને આ ફ્લાઈટની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી.
એક અધિકારીએ જણાવ્યુ કે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી. સૂત્રોએ જણાવ્યુ કે મુંબઈથી લખનૌ જઈ રહેલી ઈંડિગોની ફ્લાઈટ સંખ્યા 6E 5264 ફ્લાઈટમાં બેસેલા એક મુસાફરે આવુ કહ્યુ હતુ.
મુસાફરની કરી ધરપકડ
એયરપોર્ટ પોલીસે મુસાફર અયૂબની ધરપકડ કરી દીધી અને તેના વિરુદ્ધ IPCની ધારા 506(2)અને 505(1)(B) હેઠળ મામલો નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યુ કે તે આ એંગલથી તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવુ કેમ કર્યુ.
