સંબંધિત સમાચાર
- 6 લોકો ઊંઘમાં મૃત્યુ પામ્યા
- Bharat Jodo Nyay Yatra આજથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરશે રાહુલ ગાંધી
- Makar sankranti Wishes- મકર સંક્રાતિની શુભેચ્છા સંદેશ
- How To Reach Ayodhya : બાયરોડ-રેલવે અને હવાઈ માર્ગથી કેવી રીતે પહોંચી શકાય અયોધ્યા ? જાણો ટ્રેન-બસ રૂટ અને ફ્લાઈટ વિશે બધુ જ
- Kerala: લાઈવ ટીવી શો માં ચક્કર આવતા પડ્યા કેરલ કૃષિ વિશ્વવિદ્યાલયના ડાયરેક્ટરનુ મોત
Munawwar Rana- દેશના દિગ્ગ્જ શાયર મુનવ્વર રાણાનું નિધન
Munawwar Rana: પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું રવિવારે નિધન થયું. મુનવ્વર રાણા 71 વર્ષના હતા. રાણાની પુત્રી સોમૈયાએ જણાવ્યું કે તેના પિતાનું રવિવારે મોડી રાત્રે લખનૌના SGPGIમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. છેલ્લા એક સપ્તાહથી તેમની સારવાર SGPGIમાં ચાલી રહી હતી.
રાણાને તેમની સાહિત્યિક સેવાઓ માટે 2014માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સોમૈયાએ કહ્યું કે રાણાને તેમની ઈચ્છા મુજબ સોમવારે લખનૌમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાણાના પરિવારમાં પત્ની, પાંચ પુત્રી અને એક પુત્ર છે.
રાણાના પુત્ર તબરેઝ રાણાએ જણાવ્યું હતું કે, "બીમારીના કારણે તે 14 થી 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો." તેમને પહેલા લખનૌના મેદાંતા અને પછી એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
