1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Farmers will surround BJP in UP on MSP issue

આંદોલન પાછુ નહીં ખેંચાય, લખનઉમાં 22મીએ મહાપંચાયત, 29થી સંસદ કૂચ પણ કરાશે

MSP મુદ્દે UPમાં ભાજપને ઘેરશે ખેડૂતો
અત્યારે આંદોલન પાછુ નહીં ખેંચાય, લખનઉમાં 22મીએ મહાપંચાયત, 29થી સંસદ કૂચ પણ કરાશે
આ અગાઉ શનિવારે બપોરે પંજાબના તમામ 32 યુનિયનોએ તેમની અલગ-અલગ બેઠક યોજી. તેમા MSPની માગને અગ્રિમતા સાથે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે MSPને વિધેયક તરીકે રજૂ કરવા તથા વીજળી સુધારા બિલને સમાપ્ત કરવાની માગ માટે આગામી સમયમાં આંદોલન કેવી રીતે ચલાવવું તે અંગે પણ ખેડૂત નેતાઓ વિચારણા કરી રહ્યા છે. ​​​​​​​
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પણ ખેડૂત નેતાઓનું કહેવું છે કે આ સાથે તેમની બે માગ અન્ય છે. MSPને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે અને વીજળી સુધારા કાયદાને રદ્દ કરવામા આવે. જ્યા સુધી આ બન્ને માગ પૂરી કરવામાં નહીં આવે ત્યા સુધી પોતાનો સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. ખેડૂત નેતાઓએ એમ પણ જણાવ્યું છે કે તેમને વડાપ્રધાન પર વિશ્વાસ નથી. માટે જ્યા સુધી સંસદમાં આ વિધેયક રદ્દ કરવામાં ન આવે ત્યા સુધી દિલ્હી બોર્ડર પરથી હટશે નહીં.
ये भी पढ़ें
સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૨૧માં ગાંધીનગર સમગ્ર દેશના રાજયોના પાટનગરમાં સૌથી સ્વચ્છ પાટનગર બન્યું