સંબંધિત સમાચાર
- મુંબઈ: બાંદ્રા-વરલી સી લિંક પર સ્પીડ કારે ટક્કર મારતાં એમ્બ્યુલન્સ અથડાતાં 5નાં મોત
- સુરતમાં ફરી લિફ્ટ તુટી પડી,9 પટકાયા
- ઉત્તરાખંડમાં આઘાતજનક અકસ્માત, 40થી વધુ જાનૈયા ભરેલી બસ ખીણમાં ખાબકી
- ખેડામાં નવરાત્રિ તહેવારમાં પથ્થરમારાના કારણે તણાવ, 6 ઘાયલ, પોલીસ આરોપીઓની ઓળખમાં લાગી
- Viral Video: ગુજરાતમાં ચાલુ ગરબામાં અચાનક ઢળી પડ્યો યુવાન
બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન નદીમાં અચાનક પૂર, 7ના મોત; ઘણા ગુમ
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માલ નદીમાં અચાનક પૂર આવ્યું હતું. જેના કારણે મૂર્તિ વિસર્જન માટે ગયેલા સાત લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ઘણા લોકો હજુ પણ ગુમ છે.
માલ નદીમાં અચાનક પૂરઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માલ નદીમાં અચાનક પૂર આવ્યું. જેના કારણે મૂર્તિ વિસર્જન માટે ગયેલા સાત લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ઘણા લોકો હજુ પણ ગુમ છે. NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિક્ષક દેવર્ષિ દત્તાએ જણાવ્યું કે દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન માલ નદીમાં અચાનક પૂર આવ્યું. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમને આશંકા છે કે ઘણા લોકો ગુમ છે.
