શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2024 (23:19 IST)

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું મોત, જેલમાં આવ્યો હાર્ટ અટેક, સારવાર દરમિયાન ગયો જીવ

માફિયા થી બાહુબલી નેતા બનેલા મુખ્તાર અન્સારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાંદા જેલમાં મુખ્તારને  હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ મુખ્તાર અંસારીને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે મુખ્તાર અંસારીની તબિયત રાત્રે અચાનક બગડતા અને શૌચાલયમાં પડી જવાને કારણે જેલના ડોક્ટર દ્વારા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રને જાણ કર્યા પછી, ડૉક્ટરોની ટીમને બોલાવવામાં આવી હતી. ડોક્ટરોએ મુખ્તારને મેડિકલ કોલેજમાં રિફર કર્યો હતો. આ પછી કેદી મુખ્તાર અંસારીને પોલીસ સુરક્ષા હેઠળ મેડિકલ કોલેજ બાંદામાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું.
 
બેરેકમાં જ બેભાન થઈ ગયો હતો  મુખ્તાર અંસારી 
તમને જણાવી દઈએ કે, મુખ્તાર અંસારીને છેલ્લા 18 મહિનામાં 8 કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો, તેની વિરુદ્ધ વિવિધ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં કુલ 65 કેસ નોંધાયા હતા. મુખ્તાર અંસારી છેલ્લા 18 વર્ષથી જેલમાં હતો. યુપીની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને બાંદાની રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી મળી છે કે મુખ્તાર બેરેકમાં બેભાન થઈ ગયો હતો અને તેને સ્ટ્રેચર પર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીની હાલત ઘણા સમયથી નાજુક હતી અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું.
 
રોઝા કર્યા પછી બગડી હતી તબિયત 
મળતી માહિતી મુજબ મુખ્તાર ઉપવાસ રાખતો હતો અને આજે ઉપવાસ કર્યા બાદ તેની તબિયત લથડી હતી. મુખ્તાર પણ સુગરનો પેશન્ટ  હતો અને બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની તબિયત બગડી હતી અને ત્યારે પણ તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે  કે આ પહેલા મુખ્તારના ભાઈ અફઝલ અંસારીએ આરોપ લગાવ્યો હતો કે જેલ પ્રશાસન તેના ભાઈને સ્લો પોઈઝન આપી રહ્યું છે અને તેના કારણે તેની તબિયત બગડી હતી.
 
મેડિકલ બુલેટિનમાં શું કહ્યું?
મુખ્તારના મૃત્યુ અંગે, હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાં કહ્યું હતું કે, "આજે લગભગ 8.25 વાગ્યે, કેદી મુખ્તાર અંસારી પુત્ર સુભાનલ્લાહ, જેની ઉંમર આશરે 63 વર્ષ છે, જેલ સ્ટાફ દ્વારા બાંદાની રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના ઇમરજન્સી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. ઉલ્ટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં. દર્દીને 9 ડોકટરોની ટીમ દ્વારા તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી હતી. પરંતુ શ્રેષ્ઠ પ્રયાસો છતાં, દર્દીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું.