સંબંધિત સમાચાર
- છોકરીએ 71 વર્ષના વૃદ્ધ ડાક્ટરને દર્દી બનીને કૉલ કરીને 8 લાખ રૂપિયાની ઠગી કરી
- જંતર-મંતર પર બજરંગ, સાક્ષી અને વિનેશ સામે યુવા કુસ્તીબાજોનો વિરોધ
- Surat Diamond Bourse: PM મોદી રવિવારે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બોર્સનું કરશે ઉદ્ઘાટન
- કેન્સર દર્દીનું બાલ્કનીમાંથી પડીને મોત
- દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા, તીવ્રતા 3.1 માપવામાં આવી
હવે પશુઓની પણ થશે અંતિમવિધિ
હવે દિલ્હીમા પાળતૂ પશુઓની પણ થશે અંતિમવિધિ MCD એ બનાવ્યો ઈકો ફ્રેડલી શમશાન ઘાટ
દિલ્હીની મેયર ડૉ. શૈલી ઓબેરોયે દ્વારકામાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ પાલતુ સ્મશાનગૃહનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે અહીં પાલતુ પ્રાણીઓની યાદમાં વૃક્ષારોપણની સુવિધા પણ ઉપલબ્ધ છે. MCDનું પાલતુ સ્મશાન 700 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તે દ્વારકાના સેક્ટર 29માં MCDના કૂતરા નસબંધી કેન્દ્રની નજીક આવેલું છે.
500 રૂ માં તમે સુવિધાનો લાભ લઈ શકો છો
મેયરે જણાવ્યું હતું કે MCDના ઘણા ઝોનમાં રખડતા કૂતરાઓના અગ્નિસંસ્કાર માટે સ્મશાનગૃહની સુવિધા પશુ ચિકિત્સા સેવા વિભાગ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે, જ્યારે અન્ય ઝોનમાં લોકો 500 રૂપિયામાં આવી સુવિધાનો ઉપયોગ કરી શકે છે. અમે ટૂંક સમયમાં MCDના તમામ ઝોનમાં પાલતુ અને રખડતા પ્રાણીઓના અગ્નિસંસ્કાર માટે એક સમાન નીતિ લાવશું. રખડતા પશુઓ માટે લોકોને ખૂબ જ ઓછા દરે આવી સુવિધા પૂરી પાડવામાં આવશે.

