1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 20 જુલાઈ 2017 (15:41 IST)

LIVE Updates રાષ્ટ્રપતિ ચૂંટણી પરિઁણામ 2017 પ્રથમ રાઉંડની ગણતરી શરૂ, સૌ પહેલા સંસદના વોટોની ગણતરી

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે થયેલ મતદાનની મતગણણા ગુરૂવાર (20 જુલાઈ)ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થઈ ચુકી છે. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના રામનાથ કોવિંદ અને કોંગ્રેસની મીરા કુમાર વચ્ચે મુકાબલો છે. બધી મતપેટીઓ મંગળવાર (18 જુલાઈ)ની સનજે જ મતગણના સ્થળ પર પહોંચી ગઈ હતી. કડક સુરક્ષા વચ્ચે રાશ્ટ્રપતિ ચૂંટ્ણીમાં પડેલા વોટોની ગણતરી ચાર ટેબલો પર એક સાથે કરવામાં આવી રહી છે.  વોટોની ગણતરી આઠ ચરણોમાં પૂરી થશે. દરેક ચરણ પછી ગણતરીના પરિણામ જાહેર કરવામાં આવશે. રામનથ કોવિંદ કે મીરા કુમારમાંથી જે પણ ચૂંટણી જીતશે તે વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્થાન લેશે. મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈના રોજ પુરો થઈ રહ્યો છે.  દેશના 14માં રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે. 
 
વાંચો મતગણતરીનુ લાઈવ અપડેટ 

- રામનાથ કોવિંદના ગૃહ જનપદ કાનપુરમાં લોકો તેમના જીતની આશામાં અત્યારથી જ ખુશીઓ ઉજવી રહ્યા છે. કેટલાક લોકોએ તો કોવિંદની જીત માટે હવન પણ કર્યું. 
 
- અત્યાર સુધી રામનાથ કોવિંદને 522 વોટ મળ્યા છે. ત્યાં જ મીરા કુમારને અત્યરા સુધી 225 વોટ મળ્યા છે. જેના કુળ પ્રતિનિધિક મૂલ્ય એક લાખ 59 હજાર 300 વોટ થયું. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુળ 776 સાંસદ અને 4120 વિધાયક વોટ આપ્વા પાત્ર હતા. ચૂંટણીમાં 99.41 ટકા મતદાન થયું હતું. 
 
- રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 95 લોકોએ પર્ચા ભર્યું હતું. એક ઉમેદવારએ તો પોતે ભગવાનને જણાવ્યું હતું. ચૂંટણી આયોગએ આખેર માત્ર રામનાથ કોવિંદ અને મીરા કુમારનો પર્ચો વેધ મળયું. 
 
- વિપક્ષની રાષ્ટ્રપતિ ઉમેદવાર મીરા કુમારએ કીધું કે એ જે વિચારધારા માટે લડ રહી છે તેના પર તેને પૂરો વિશ્વાસ છે અને તેની અંતરાઅત્મા પર પણ ભરોસો છે . હવે જોવું છે કે મારું આ વિશ્વાસ ક્યાં સુધી કાયમી રહે છે. 
 
- બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ કીધું કે ચૂંટણીમાં  જીત-હાર જુદી વાય છે સારી વાત આ છે કે ચૂંટણી કોઈ પણ જીતે અનૂસૂચિત જીતિનો માણસ દેશનો રાષ્ટ્રપતિ થશે અને આ દેશ માટે સારું હશે. 
 

- સૌ પહેલા સંસદ ભવનમાં પડેલા વોટોની ગણતરી થશે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને અસમ વિધાનસભામાં પડેલા વોટોની ગણતરી થશે. 
 
- જો એનડીએના રામનાથ કોવિંદ રાષ્ટ્ર્પતિ ચૂંટણી જીતે છે તો આવુ પહેલીવાર હશે કે દેશના ટોચના બે મોટા પદ પર આરએસએસ અને બીજેપી સાથે જોડાયેલા નેતા હશે. બીજેપીએ પાર્ટી નેતા અને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી વેંકૈયા નાયડૂ ઉપ-રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ રીતે વેંકૈયા જીત્યા તો દેશના ટોચના ત્રણ પદ પર બીજેપી-આરએસએસના લોકો જોવા મળશે. 
 
- સૌ પહેલા સંસદ ભવનમાં પડેલા વોટોની ગણતરી થશે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને અસમ વિધાનસભામાં પડેલા વોટોની ગણતરી થશે. પ્રથમ રાઉંડની ગણતરી બપોરે એક વાગ્યાના લગભગ પૂરી થશે અને પ્રથમ રાઉંડના પરિણામની જાહેરાત કરવામાં આવશે. 
 
- સુરેશ અંગદી, ગણેશ સિંહ અને ગજેન્દ્ર શેખાવત બીજેપીના મતગણતરીના એજંટ છે વિપક્ષની તરફથી કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા, ગૌરવ ગોગોઈ, બીકે હરિપ્રસાદ ટીએમસીના નદીમુલ હક મતગણતનાના એજંટ છે.  
 
- રાષ્ટ્રપતિ ચૂંટણીના વોટોની ગણતરી શરૂ થઈ ચુકી છે. મીરા કુમાર અને રામનાથ કોવિંદમાંથી કોઈપણ ચૂંટણી જીત્યા તો દેશના લગભગ બે દસકા પછી બીજા દલિત રાષ્ટ્રપતિ મળશે.  આ પહેલા કેઆર નારાયણન 1997-2002 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા.  નારાયણન દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ હતા. 
 
- 17 જુલાઈના રોજ થયેલ મતદાનમાં 99.41 ટકા મતદાન થયુ હતુ. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 775 સાંસદ નએ 4120 ધારાસભ્ય વોટ આપે છે.  વર્ષ 2012માં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રણવ મુખર્જીએ પીએ સંગમાને હરાવ્યા હતા. મુખર્જીને 69 ટકા વોટ મળ્યા હતા. 
 
- લોકસભાના મહાસચિવ અનૂપ મિશ્રા ચૂંટણી આયોગના મતગણના અધિકારી રહેશે. વિજેતાને ચૂંટણીમાં જીતનુ પ્રમાણપત્ર મિશ્રા જ આપશે. 
 
- 17 જુલાઈના રોજ દેશની સંસદ, 29 રાજ્યો અને બે કેન્દ્રશાસ્તિ પ્રદેશોમાં બનાવેલ કુલ 32 મતદાન સ્થળો પર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થયુ હતુ. 
 
- સૌ પહેલા સંસદ ભવનમાં પડેલા વોટોની ગણતરી થશે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને અસમ વિધાનસભામાં પડેલા વોટોની ગણતરી થશે.