સંબંધિત સમાચાર
- Tirupati Darshan: તિરુપતિ મંદિરમાં મોટો ફેરફારઃ હવે માત્ર 2 કલાકમાં ભક્તોને મળશે દર્શન, VIP ક્વોટા પણ બંધ
- Delhi Air Pollution: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ વણસી, ઘણા વિસ્તારોમાં AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન
- ખડગે અને રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શક્તિ સ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.
- Birthday Indira Gandhi - ઈન્દિરા ગાંધીના એ કામ જેના કારણે વાજપેઈજીએ તેમને દુર્ગાનુ ઉપનામ આપ્યુ
- હિંદુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમો ફેલાવી રહ્યા છે 'જીમ જેહાદ', મહિલાઓ સાથે 'ગંદી' વાત, વાયરલ વીડિયોમાં કેટલું સત્ય છે
Tirupati શું બિન-હિન્દુ કર્મચારીઓને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે? હવે દર્શન માટે AIનો ઉપયોગ કરવામાં આવશે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે તાજેતરમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આમાં સૌથી મહત્વનો છે મંદિર પ્રશાસનમાં કામ કરતા બિન-હિન્દુ કર્મચારીઓને દૂર કરવાનો નિર્ણય.
બોર્ડે કહ્યું છે કે બિન-હિન્દુ કર્મચારીઓની યાદી તૈયાર કરીને આંધ્ર પ્રદેશ સરકારને સોંપવામાં આવશે.
ટીટીડી બોર્ડના નવા અધ્યક્ષ બીઆર નાયડુએ કહ્યું કે અમે તિરુમાલામાં બિન-હિન્દુ કર્મચારીઓના મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખીશું. કાં તો તેમને અન્ય વિભાગોમાં મોકલવામાં આવશે, અથવા તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવામાં આવશે. TTD એક હિંદુ ધાર્મિક સંસ્થા હોવાથી, મંદિરમાં બિન-હિન્દુઓની નિમણૂક થવી જોઈએ નહીં.
દર્શન માટે AI નો ઉપયોગ
મંદિરમાં દર્શન માટે લાંબી રાહ જોવી એ ભક્તો માટે મોટી સમસ્યા છે. આના ઉકેલ માટે બોર્ડે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તેનો ઉદ્દેશ્ય દર્શનનો સમય 30 કલાકથી ઘટાડીને 2-3 કલાક કરવાનો છે.

