1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 જૂન 2025 (19:15 IST)

મ્યાંમારમાં જન્મથી લઈને ગુજરાતની રાજનીતિ સુધી ... કેવો એક વેપારીનો પુત્ર બન્યો સીએમ ? જાણો વિજય રૂપાણીની સંમ્પૂર્ણ માહિતી

vijay rupani
vijay rupani
 Vijay Rupani Death: ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક ભયાનક વિમાન અકસ્માત થયો. ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું. મળતી માહિતી મુજબ, વિમાન ઉડાન ભર્યાના થોડા સમય પછી આ અકસ્માત થયો. એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા.
 
સાથે જ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં તેમનું પણ દુઃખદ અવસાન થયું.  વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભારતીય રાજકારણમાં તેમની પોતાની એક અલગ ઓળખ રહી છે. ચાલો આ લેખમાં વિજય રૂપાણીના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવીએ.
 
વિજય રૂપાણીનુ બાળપણ 
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ મ્યાનમાર (તે સમયે બર્મા) ની રાજધાની રંગૂનમાં થયો હતો. એવું કહેવાય છે કે તેમના પિતા 1960 માં રાજકોટ પાછા ફર્યા હતા. રૂપાણી જૈન વાણિયા સમુદાયના છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ હતા. ગુજરાત આવ્યા પછી, તેમણે અહીં અભ્યાસ શરૂ કર્યો.
 
 
 
વિદ્યાર્થી જીવન દરમિયાન ABVP માં જોડાયા.
એવુ બતાવાય રહ્યુ છે કે વિદ્યાર્થી જીવનમાં જ વિજય રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (AVBP) ની સાથે જોડાયા. અહીંથી જ તેમણે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૭૧માં તેઓ જન સંઘમાં જોડાયા અને શરૂઆતથી જ ભાજપમાં જોડાયા.
 
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી એવા ખરા નેતાઓમાંના એક તરીકે જાણીતા છે જેઓ શરૂઆતથી જ કોઈ પક્ષમાં જોડાયા અને ક્યારેય પોતાની વિચારધારા બદલી નહીં. એવું કહેવાય છે કે રૂપાણી વિદ્યાર્થીકાળથી જ જન સંઘ તરફ ઝુકાવ ધરાવતા હતા. બાદમાં, વિજય રૂપાણી ધારાસભ્ય, રાજ્ય મંત્રી, રાજ્યસભા સાંસદ બન્યા. ત્યારબાદ તેમણે ગુજરાતનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો.
 
પહેલીવાર ક્યારે બન્યા ધારાસભ્ય  
તમને જણાવી દઈએ કે તેમણે વર્ષ 2014 માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તમને જણાવી દઈએ કે રાજ્યપાલ બન્યા પછી વજુભાઈ વાળાએ પોતાની બેઠક છોડી દીધી હતી અને ત્યારબાદ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપે રૂપાણીને ઉમેદવાર બનાવ્યા હતા. વિજય રૂપાણીએ તે પેટાચૂંટણી જીતી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ગુજરાતના રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય હતા.
 
આગળ જઈને તેઓ  જ્યારે નવેમ્બર 2014 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો, ત્યારે રૂપાણીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. તેમને પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી. વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016 થી ઓગસ્ટ 2016 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા. બાદમાં, 7 ઓગસ્ટ 2016 ના રોજ, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.