ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : બુધવાર, 29 માર્ચ 2023 (14:59 IST)

શ્રીરામનવમી 2023- શ્રીરામના 10 સૌથી સરળ મંત્ર મેળવો દરેક મુશ્કેલીનો અંત તરત

ramayan
શ્રીરામ નવમી પર શ્રી રામના 10 સરળ મંત્ર બદલી નાખશે તમારી કિસ્મતની ફોટા 
રામ નામની શક્તિ અસીમિત છે. તેના નામથી લખેલા પત્થર તરી ગયા. તેમના દ્વારા ચલાવેલ અમોઘ તીરા રામબાણ અચૂક કહેવાયા. તેમના મંત્ર શક્તિના તો શું કહેવું. 
ચૈત્ર નવરાત્રિ અને શ્રીરામ નવમી પર રામચરિત માનસ, વાલ્મિકિ રામાયણ, સુંદરકાંડ વગેરેના અનુષ્ઠાનની પરંપરા રહી છે. મંત્રોના જપ પણ કરાય છે. તેને કે તેમાંથી કોઈ એક કરવા પર ઈચ્છાપૂર્તિ નિ: સંદેશ 
 
પૂર્ણ થશે. 
1. "રામ" આ મંત્ર પોતાનામાં પૂર્ણ છે અને શુચિ-અશુચિ સ્થિતિમાં પણ જપી શકાય છે. આ તારક મંત્ર કહેવાય છે. 
2. "રાં રામાય નમ:" સકામ જપાતું આ મંત્ર રાજ્ય લક્ષ્મી પુત્ર આરોગ્ય અને મુશ્કેલી નાશ માટે પ્રસિદ્ધ છે. 
3. "ૐ રામચંદ્રાય નમ:" ક્લેશ દૂર કરવા માટે પ્રભાવી મંત્ર 
4. "ૐ રામભદ્રાય નમ:" કાર્યની મુશ્કેલીઓ દૂર કરવા માટે જરૂરી પ્રભાવી છે. 
5. "ૐ જાનકી વલ્લભાય સ્વાહા" ઈશ્વર કૃપા મેળવવા અને મનોકામના પૂર્તિ માટે જપવા યોગ્ય છે. 
6. "ૐ નમો ભગવતે રામચંદ્રાય" વિપત્તિ-આપત્તિના નિવારણ માટે જપાય છે. 
7. "શ્રી રામ જય રામ જય-જય રામ" આ મંત્રનો કોઈ નિશાની નહી. શુચિ-અશુચિ સ્થિતિમાં પણ જપી શકાય છે. 
8. "શ્રીરામ ગાયત્રી મંત્ર"-  "ૐ દશરથાય નમ:" વિદ્યહે સીતા વલ્લભાય ધીમહિ તન્નો રામ પ્રચોદયાત"
9. ""ૐ નમ: શિવાય" "ૐ હં હનુમતે શ્રી રામચંદ્રાય નમ:" આ મંત્ર એક સાથે ઘણા કાર્ય કરે છે. મહિલાઓ પણ જપી શકે છે. 
સાધારણતયા હનુમાનજીના મંત્ર ઉગ્ર હોય છે શિવ અને રામ મંત્રની સાથે જપ કરવાથી તેમની ઉગ્રતા ખત્મ થઈ જાય છે. 
10.""ૐ રામાય ધનુષ્પાણ્યે સ્વાહા" શત્રુનો નાશ, કોર્ટ -કચેરી વગેરેની સમસ્યાથી મુક્તિ માટે છે.  
 
રામરક્ષાસ્ત્રો સુંદરકાંડ હનુમાન ચાલીસા બજરંગબાણ વગેરેના જપ કરી અનુષ્ઠાન રૂપમાં લાભ મેળવી શકાય છે. 
શ્રી હનુમાનજી અને ભગવાન રામના ફોટાની સામે લાલ રંગના વસ્ત્ર રાખી પંચોપચાર પૂજન કરી જપ કરવું જોઈએ. આ સરળ અને લૌકિક વિધિ છે. 
 
રામ નવમી શુભ મૂહૂર્ત 
નવમી તિથિની શરૂઆત- 21 એપ્રિલ 2021 00.43 વાગ્યેથી 
નવમી તિથિની પૂર્ણ- 22 એપ્રિલ 2021 00.35 વાગ્યે
પૂજા શુભ મૂહૂર્ત- સવારે 11 વાગીને 2 મિનિટથી બપોરે 1 વાગીને 38 મિનિટ સુધી 
કુળ સમય 2 કલાક 36 મિનિટ 
રામનવમી મધ્યાહન બપોરે 12 વાગીને 20 મિનિટ પર