ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ, , રવિવાર, 14 જુલાઈ 2019 (23:34 IST)

અમદાવાદ: કાંકરિયામાં મોટી દૂર્ઘટના, રાઇડ તૂટતા 3 લોકોના મોત,26થી વધુ ઇજાગ્રસ્ત

અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટતા 3 લોકોના મોત થવાના સમાચાર છે જ્યારે આ દૂર્ઘટનામાં 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં ભારે ભીડ જોવા મળી હતી જેને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે.ઇજાગ્રસ્તમાં બાળક-મહિલાઓનો સમાવેશ થાય છે.
ગૌરીવ્રત અને રવિવારને કારણે કાંકરિયા બાલવાટિકામાં રાઇડ્સમાં ભારે ભીડ જોવા મળી હતી. સંચાલકોની મેઇન્ટેન્સની બેદરકારીને કારણે આ રાઇટ ભારે વજનને કારણે તૂટી ગઇ હતી. જેમાં 3 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને ફસાયેલાઓને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
 
આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ઘટનાસ્થળે પહોચ્યા હતા અને વધુ તપાસના આદેશ આપ્યા છે. વિજય નેહરાએ કહ્યું કે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે અને આ દૂર્ઘટના કઇ રીતે બની તેની તપાસ કરવામાં આવશે અને એફઆઇઆર નોંધવામાં આવશે.