1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Bhidbhanjan Bhavanishwar Mahadev Temple

શિવરાત્રીના એક દિવસ પહેલા દ્વારકાના મંદિરમાંથી શિવલિંગની ચોરી, ભક્તોમાં ભારે રોષ.

ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર
ગુજરાતના દ્વારકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મહાશિવરાત્રીના એક દિવસ પહેલા શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી.

જે બાદ તેને રિકવર કરવા અને શંકાસ્પદોની ધરપકડ માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટના કલ્યાણપુરમાં અરબી સમુદ્રના કિનારે સ્થિત શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં બની હતી, જે પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ માતાજી મંદિરની નજીક છે.

ઘટના એવી રીતે બની કે જ્યારે મંદિરના પૂજારીએ પૂજા માટે મંદિરનો દરવાજો ખોલ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. મંદિરનો દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો અને શિવલિંગ તેની જગ્યાએથી ગાયબ હતું. પૂજારીએ તરત જ પોલીસને જાણ કરી અને કેસ નોંધવામાં આવ્યો.
આગળનો લેખ
એક બે નહી રેકોર્ડ 82 મુસ્લિમ જીત્યા.. શુ ગુજરાત વિધાનસભામાં નવો પ્રયોગ કરશે બીજેપી.... ?