સંબંધિત સમાચાર
- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વેન્ટિલેટર સપોર્ટ પર, સૈન્ય હોસ્પિટલમાં મગજની સર્જરી કરી
- Corona in Mathura- ઇસ્કોન મંદિર નિવાસી સંકુલમાં વિદેશી ભક્તો સહિત 14 સંક્રમિત, હોબાળો
- કોરોના વાયરસના સંક્રમણથી ગુજરાતમાં 23 જેટલા તબીબોનું મોત નિપજ્યું
- હાઈકોર્ટના આદેશ બાદ સરકારે દંડ વધાર્યો, માસ્ક નહીં પહેરો તો હવે 500ને બદલે 1 હજારનો દંડ
- શ્રેય હોસ્પિટલના મેનેજમેન્ટને તપાસ સમિતિની ક્લિન ચીટ
ગાંધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટરના ભોજનાલય સહિત 58 એકમો પાસે ફાયર NOC નથી
અમદાવાદ આગની ઘટનાને પગલે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પણ તપાસનો ધમધમાટ ચલાવાયો છે. ત્યારે શહેરમાં શનિવાર અને રવિવારના 2 દિવસમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, જીમ અને બિલ્ડિંગ સહિતના 68 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં માત્ર 10 એકમો પાસે જ ફાયર એનઓસી હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા સે-11 ખાતેની 5 બિલ્ડિંગમાં પણ ચેકિંગ કરાયું હતું, જેમાં વિજય કોમ્પલેક્ષ, મેઘ મલ્હાર, હવેલી આર્કેડમાં એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત રાધે સ્વીટમાર્ટ તથા ડોમિનોઝ સહિતની 6 ખાણીપીણીની દુકાન-હોટેલોમાં પણ એનઓસી ન હતું. બીજી તરફ સે-6 ખાતે ઈસ્કોન ગાંઠીયા, કાઠીયાવાડી હોટેલ, તેમજ ઈન્ફોસિટીમાં 16 એકમોની તપાસ કરાઈ જેમાં એકેય પાસે ફાયર એનઓસી મળ્યું ન હતું. સે-16 ખાતે આવેલી 9 હોટેલ ચેકિંગ કરતાં 3 પાસે એનઓસી મળ્યું હતું જ્યારે હોટેલ ગ્રીનએપલ, મેરીગોલ્ડ, પૂર્ણીમા, દાદીસા, આદર્શ, ઓનેસ્ટ હોટેલ ફાયર એનઓસી વગર ધમધમતી હોવાનું સામે આવ્યું હતું બીજી તરફ સે-21 ખાતે 5માં ચેકિંગ કરતાં સત્તાધારા રેસ્ટોરન્ટ, પૂજા પાર્લર, રાધે સ્વિટમાર્ટમાં જ્યારે સે-28 ખાતે 2 રેસ્ટોરન્ટમાં, સચિવાલય મીના બજારમાં સર્વોદય ભોજનાલય પાસે એનઓસી ન હતું. પથીકાશ્રમ પાછળ આવેલા 5 ઢાબા પર દબાણમાં ચાલતા હોવાથી ફાયર એનઓસીનો સવાલ જ ઉભો થતો નથી. જ્યારે સે-21માં ધારાસભ્યોના ક્વાટર્સ ખાતે આવેલા સદસ્ય ભોજનાલય તથા સૌરાષ્ટ્ર ફરસાણ અને હોટેલ હેવેનમાં એનઓસી લેવાયું નથી. કોલવડા ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ બાદ સે-22 ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પણ ફાયર એનઓસી ન હતું. બીજી તરફ સે-19 અને 21માં આવેલા સરકારી જીમખાન સહિત 11,27, 24, સરગાસણમાં કુલ 9 જીમમાંથી એકેય પાસે એનઓસી મળ્યું ન હતું.
