ગુરુવાર, 13 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2025 (17:58 IST)

GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો, હવે 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે

harsh sanghvi
ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું, પરંતુ હવે તેમાં 2 ટકાનો વધારો કરવાથી એસટી નિગમના કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે.  આ નિર્ણય થકી કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. DA વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે.
 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 28 જાન્યુઆરી, 2025ના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 
આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 'એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરી હવેથી 55 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.'