સંબંધિત સમાચાર
- ગુજરાતથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને કરવામાં આવ્યા ડિપોર્ટ, હાથમાં લાગી હતી હથકડી
- ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન અને ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ
- 15 મે સુધી રાજ્યમાં કોઈપણ કાર્યક્રમમાં ડ્રોનથી ફટાકડા ફોડશે, ફૂંકવાની મંજૂરી નહીં- હર્ષ સંઘવી
- ગૃહમંત્રીએ ગુજરાતમાં મોક ડ્રીલ અંગે બેઠક યોજી
- જય જય ગરવી ગુજરાત - Jai Jai Garvi Gujarat
GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો, હવે 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે
ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું, પરંતુ હવે તેમાં 2 ટકાનો વધારો કરવાથી એસટી નિગમના કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ નિર્ણય થકી કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. DA વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 28 જાન્યુઆરી, 2025ના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
— Harsh Sanghavi (@sanghaviharsh) August 26, 2025
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના…
આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 'એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરી હવેથી 55 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.'

