સંબંધિત સમાચાર
- Gujarat Rain 2026 - વડોદરા સહીત ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ, IMD એ પાંચ જિલ્લામાં જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, જાણો તાજા અપડેટ
- વિકસિત ગુજરાત 2047 તરફ મોટું કદમ: રાજ્યના મેગા પ્રોજેક્ટ્સ માટે HUDCO આપશે રૂ.1 લાખ કરોડની લોન
- ગુજરાત પર મેઘમહેર: બાલાસિનોરમાં પોણા છ ઈંચ વરસાદ સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ
- ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: વર્ષ 2025-26માં 36 લાખથી વધુ ખેડૂતોને રૂ. 10,337 કરોડની આર્થિક રાહત
- વડોદરા-હાલોલ રોડ પર કાળમુખો અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં 6 ના મોત, NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના: પાટિયાપુલ નજીક પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત, 15 યાત્રિકો ઈજાગ્રસ્ત
Pavagadh Stone Accident
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતાં કેટલાક યાત્રિકો તેની નીચે દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
વહેલી સવારે 5 વાગ્યે ઘટી ઘટના: વરસાદના પાણીના પ્રવાહને કારણે માટી ખસી
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 5:૦૦ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ભારે વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો. આ પ્રવાહને કારણે ડુંગરની માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે માતાજીના દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકો અચાનક આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.
આ ઘટના વહેલી સવારે બની હતી અને હાલ માં રોપ વે કર્મચારીઓ દ્વારા મદદ અને કામગીરી કરવામાં આવી હતી.#pavagadh #gujarat https://t.co/mczDoTvEPY pic.twitter.com/yDH2jN04hu
— Manan Trivedi (@itsurbunny7) June 19, 2026
રોપ-વે ટીમ અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ રોપ-વેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી દીધી છે. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. હાલ પોલીસ અને સ્થાનિક ટીમ સંયુક્ત રીતે આગળની કાર્યવાહી અને બચાવ કાર્યમાં મદદરૂપ થઈ રહી છે.
હજુ પણ અન્ય લોકો દબાયા હોવાની આશંકા: સર્ચ ઓપરેશન કરાયું તેજ
આ દુર્ઘટના એટલી ગંભીર છે કે હજુ પણ પથ્થરોના કાટમાળ નીચે અન્ય કેટલાક યાત્રિકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા રાહત કાર્યને વધુ વેગવંતું કરવામાં આવ્યું છે જેથી સમયસર લોકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી શકાય.
