સંબંધિત સમાચાર
- CBSE વેબસાઇટ પર ટેકનિકલ ખામીઓ સામે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કડક કાર્યવાહી કરી, વિદ્યાર્થીઓની ફરિયાદો પર રિપોર્ટ માંગ્યો
- ટ્રમ્પની સુરક્ષામાં ફરી ભંગ? વ્હાઇટ હાઉસની બહાર અંધાધૂંધ ગોળીબાર, જવાબી કાર્યવાહીમાં હુમલાખોર માર્યો
- બાંગ્લાદેશમાં એક દુર્લભ સફેદ ભેંસ "ડોનાલ્ડ ટ્રમ્પ" બની ગઈ છે; બકરી ઇદ પર તેને જોવા માટે ભીડ ઉમટી પડી
- અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલો મુસાફર 20 કિલો ગાંજા સાથે ઝડપાયો
- યુવાશક્તિ વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરશે: પીએમ મોદી
ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં કરુણ મોત
ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામ પાસે વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલટી મારી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે બસમાં સવાર સાસુ અને વહુ બંને મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક યાત્રાએ નીકળેલા આ શ્રદ્ધાળુઓ માટે વહેલી સવાર કાળમુખી સાબિત થઈ હતી અને આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ટ્રકને સાઈડ આપવા જતાં અકસ્માત નડ્યો, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
આ અકસ્માત રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યે ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા જેવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા નીકળેલી ખાનગી બસ (GJ18U 9985) ને નડ્યો હતો. દિવસભર દર્શન કરીને સોમવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ જ્યારે બસ પરત ફરી રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રકને સાઈડ આપવા જતાં બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 5 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રાહત બચાવ કામગીરી અને પોલીસ તપાસ શરૂ
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બસમાંથી ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
