1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2022 (11:26 IST)

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ- પીએમ મોદીના હસ્તે ભવ્ય ઉદઘાટન

Pramukh Swami Maharaj
મહંત સ્વામી મહારાજની નિશ્રામાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવનું  આયોજિન કરાયું છે. પીએમ મોદીના હસ્તે ભવ્ય ઉદઘાટન થશે. આ મહોત્સવમાં લાખો ભક્તો ઉપસ્થિત રહેશે. 
 
આ મહોત્સવમમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહપ્રધાન અણિત શાહ, કેબિનેટના સિનિયર સભ્ય, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉસ્થિત રહેશે.પીએમ મોદી એરપોર્ટથી સીધા જ સરદાર પટેલ રિંગરોડ પર ઓગણજ પાસે તૈયાર કરાયેલા પ્રમુખ સ્વામી નગર જશે. 

આજથી અમદાવાદના આંગણે રૂડો અવસર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલનારા મહોત્સવમાં લાખો હરિભક્તો હાજર રહેશે. આ ભવ્ય મહોત્સવનુ ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થશે.  દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે. અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. 
 
ત્યારબાદ આખા નગર પર હૅલિકોપ્ટરથી ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા 3 હૅલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આજે સાંજે 5 વાગ્યાથી મહોત્સવનો પ્રારંભ થશે.
 
આજથી અમદાવાદના ઓગણજ ખાતે શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સરદાર પટેલ રિંગ રોડ પાસે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં 80 હજારથી વધુ સ્વયંસેવકો અને સેંકડો સ્વામીઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે.