શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 જાન્યુઆરી 2023 (11:29 IST)

પક્ષ વિરોધી ગતિવિધિઓમાં લુપ્ત નેતાઓ વિરૂદ્ધ કડક પગલાં, 38 કાર્યકર્તા સસ્પેંડ

Congress
ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં કારમી હાર માટે જોરદાર મંથન શરૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મોટા નેતાઓને ઘરે બેસાડી દીધા છે. કોંગ્રેસે નેતાઓને આંચકો આપ્યો છે. આનાથી સાબિત થાય છે કે કોંગ્રેસ કોઈને બક્ષવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર કોંગ્રેસના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવાને પણ કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
કોંગ્રેસ શિસ્ત સમિતિએ શુક્રવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બાલુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ડિસેમ્બર 2022માં કોંગ્રેસની શિસ્ત સમિતિની પુનઃરચના કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્તભંગની કુલ 71 ફરિયાદો મળી છે, જેમાં કુલ 95 કાર્યકરો સામેલ છે. જેમાં બે બેઠકમાં હાજર થયેલા કુલ 38 કાર્યકર-નેતાઓને તેમના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે.
 
તેમણે કહ્યું કે 18 અરજદારોને બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમની રજૂઆતો તેમજ તેમની સામેની રજૂઆતોની ચકાસણી કરવાની જરૂર છે. પાંચ અરજીઓ છે જેના પર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. સામાન્ય કેસમાં 8 લોકોને પત્ર લખીને ઠપકો આપવામાં આવ્યો છે. તથ્યોના અભાવે 11 અરજીઓ ફગાવી દેવામાં આવી છે. જ્યારે 4 કેસો ઉંડાણપૂર્વક અભ્યાસ માટે આગામી બેઠક માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.