સંબંધિત સમાચાર
- પાંચ વર્ષની બાળકીનું બલી ચઢાવી, માતાની સામે કુહાડીથી ગળું કપાયું; મંદિરની સીડીઓ પર લોહી વહેતું હતું
- સગીર વયની યુવતી સાથે લગ્ન કર્યા, જ્યારે તેણીએ તેના સાસરે જવાની ના પાડી તો તેનો પતિ તેને બળજબરીથી લઈ ગયો.
- Gir national park- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
- 18 વર્ષ પછી ગિર પહોચ્યા પીએમ મોદી..ફોટો ખેંચતી વખતે થયો સિંહનો સામનો... જુઓ ફોટા
- 4 સગા-સંબંધીઓએ મળીને ચોરી કરી હતી 'શિવલિંગ', તેની પાછળનું કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ
Tourism circuit- ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ટૂંક સમયમાં ટુર પેકેજની જાહેરાત થશે, ST નિગમનો મોટો નિર્ણય
Tourism circuit- ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાંથી બસ સેવાનું સંચાલન કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં લોકોની માંગને ધ્યાને રાખીને ગુજરાત એસટી નિગમ પણ હકારાત્મક વલણ દાખવી રહ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી રાજ્યના વિવિધ રૂટ પર ટુર સર્કિટ બનાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં વિવિધ રૂટ પર પ્રવાસ સર્કિટ કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યમાં યાત્રાધામો માટે બસ સેવા શરૂ કરવા માંગ કરી હતી.
ટુરિઝમ સર્કિટ શરૂ થશે
લોક માંગને પગલે કોર્પોરેશન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટુર સર્કિટ બનાવવાનું આયોજન કરી રહ્યું છે. રૂટ ફાઇનલ થયા બાદ એક રાત અને બે દિવસના ટૂર પેકેજનું ભાડું આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે. જેમાં તમામ રૂટ પર પ્રતિ કિલોમીટરનું કુલ ભાડું, હોટેલ કે ધર્મશાળાના ચાર્જીસ અને અન્ય ચાર્જીસ નક્કી કરીને ટૂર પેકેજની કિંમત નક્કી કરવામાં આવશે.
પેકેજ વિશે જાણો
ખાસ વાત એ છે કે આ ટૂર પેકેજની કિંમત 2,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સાથે, એવી શક્યતા છે કે આ પ્રવાસ દર અઠવાડિયે એટલે કે શનિવાર અને રવિવારે યોજવામાં આવે. જેથી લોકો સપ્તાહ દરમિયાન પરિવાર સાથે આ રૂટ પર મુસાફરી કરવાનો લાભ મેળવી શકે.
અહીં પ્રવાસન સર્કિટ શરૂ કરવામાં આવશે
હરસિદ્ધિ માતાનું મંદિર સોમનાથ, દ્વારકા, ગીર, સૌરાષ્ટ્ર
દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તિથલ, સેલવાસ
કચ્છમાં મતન મઘ, નારાયણ સરોવર, કોટેશ્વર
ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી, બહુચરાજી
