સંબંધિત સમાચાર
- દ્બારકામાં અહીં ચોખા દાન કરવાથી જન્મો જનમ સુધી ગરીબી રહેશે દૂર, અહીં હતું શ્રીકૃષ્ણું ભવન
- શ્રીકૃષ્ણઃ શરણં મમ - શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ અને મહત્વ જાણો
- જન્માષ્ટમીનો પાવન પર્વ અને શ્રી કૃષ્ણના જીવનનો મહિમા
- જન્માષ્ટમીના 10 સરળ ઉપાય
- Janmashtami Puja Samagri- જન્માષ્ટમી પૂજા અને પૂજન સામગ્રી, તેના વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે
જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી
ઉત્તર ભારતમાં પંજરી એક ખૂબ જ સામાન્ય બનતી ડિશ છે. જે પ્રસાદના રૂપમાં બનાવવામાં આવે છે. આજે અમે તમને જન્માષ્ટમી પ્રસંગે ધાણાની પંજરી બનાવતા શિખવાડીશુ જે ખૂબ સહેલાઈથી બની શકે છે. તમને આ થોડુ વિચિત્ર લાગી રહ્યુ હશે કે ધાણાના પાવડરથી પંજરી કેવી રીતે બનાવી શકાય છે. પણ જ્યારે તમે તેને એકવાર ટ્રાઈ કરશો તો તમને આ અન્ય પંજરીથી પણ વધુ ટેસ્ટી લાગશે. આવો જાણીએ તેને બનાવવાની વિધિ...
સામગ્રી - ધાણા પાવડર - 1 કપ
ખાંડ 1/2 કપ
મખાણા - 1 કપ
ઘી - 2 કપ
નારિયળ 1/4 કપ
ડ્રાયફ્રુટ્સ - 1/2 કપ
લીલી ઈલાયચી - 4
કિશમિશ - 2 ચમચી
બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો. પછી તેમા બધા માવા નાખી રોસ્ટ કરી બાજુ પર મુકો. હવે ગેસ બંધ કરો. ત્યારબાદ ધાણાપાવડરમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. પછી તેમા તળેલા સુકામેવા, મખાના, કિશમિશ અને ખાંડ મિક્સ કરો. પંજરીને સારી રીતે ભેળવો. જો તમે આ રેસીપિમાં માવો મિક્સ કરવા માંગતા હોય તો પણ મિક્સ કરી શકો છો.
