મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 28 એપ્રિલ 2018 (10:11 IST)

Tantra Mantra - ખૂબ જ કામનું છે આ Flower... ધનમાં લાવે છે બરકત

પ્રકૃતિમાં અનેક પ્રકારની વનસ્પતિયો અને ખનિજ લવણ જોવા મળે છે. કેટલીક વનસ્પતિયોનો ઉપયોગ મોટાભાગે જડી બૂટ્ટીયોના રૂપમાં પણ કરવામાં આવે છે. 
 
આવી જ એક વનસ્પતિ છે જેનો ઉપયોગ તંત્ર-મંત્રની ક્રિયામાં કરવામાં આવે છે. જેનુ નામ છે નાગકેસર. તેને એક ફૂલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. 
 
આ એક રીતે ધન પ્રદાન કરનારુ તેમા વધારો કરનારુ ફૂલ માનવામાં આવે છે.  આવો જાણીએ તેના તાંત્રિક ઉપાય જે ધન વૃદ્ધિમાં છે અસરદાર. 
 
- શુક્લ પક્ષની રાત્રિએ ચાંદીની એક ડબ્બી લો તેમા નાગકેસર અને મધ ભરીને શુક્લ પક્ષના શુક્રવારની રાત્રે તમારી ઘરની તિજોરીમાં મુકી દો. 
 
- દર શુક્રવારે નાગકેસ્રના એક ફૂલની પૂજા કરો. ત્યારબાદ તેને એક સફેદ કપડામાં લપેટીને તમારા ઘર કે ઓફિસની તિજોરીમાં મુકી દો. 
 
- પૂનમના દિવસે નાગકેસરના ફૂલથી શિવલિંગની પૂજા કરો. અને પૂજા પછી તેને તમારા ઘરમાં લઈ આવો. 
 
- આખી હળદર, સોપારી, ચોખાના થોડા દાણા અનીક સિક્કો લઈને તાંબાના ટુકડા સહિત એક કપડામાં બાંધી તમારા ઘરની તિજોરીમાં મુકી દો. 
 
- એવુ માનવામાં આવે છે કે આ તાંત્રિક ઉપાયોથી જલ્દી જ ધનમાં બરકત થવા માંડે છે.